બ્લડ પ્યુરીફાયર – કાચી કેરીમાં વિટામીન સી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. જે કારણે આ લોહી વિકાર મતલબ લોહીમાં થનારી કોઈપણ બીમારી કે અશુદ્ધિને ઠીક કરી શકે છે.
અળઈઓથી મુક્તિ – આ ફક્ત અળઈઓથી મુક્તિ માટે જ સારુ નથી પણ તેમા કેટલા એવા તત્વ છે જે તમને સૂર્યના પ્રભાવથી બચાવે છે. ઈમ્યુનિટી વધારે છે. કાચી કેરી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા મતલબ ઈમ્યૂનિટીને વધારે છે. સાથે જ તમને રોગ સામે લડવાની ક્ષમતા પણ આપે છે.
વજન વધતુ નથી – કાચી કેરીમાં ઉચ્ચ માત્રામાં ફાઈબર જોવા મળે છે. જે આપણા શરીરનુ વધારાનુ વસાને દૂર કરે છે. સાથે જ તેમા ખાંડની માત્રા ઓછી હોય છે જેનાથી વજન વધતુ નથી.
એસીડીટી માટે – જો તમને એસિડીટે કે છાતીમાં બળતરાની સમસ્યા છે તો કાચી કેરી તમારે માટે સારુ ફળ છે. એસિડીટીને ઓછુ કરવા માટે કે કાચી કેરીનુ રોજ સેવન કરો.
કેરીનુ પનું પીવાથી પરસેવામાંથી સોડિયમ ક્લોરાઈડ અને આઈરન જેવા તત્વ શરીરમાંથી વધુ નીકળતા નથી. કાચી કેરીનો આ પણ એક સ્વાસ્થ્ય લાભ છે.
ગરમીથી બચાવે – કાચી કેરીને મીઠું લગાવીને ખાવાથી શરીરમાં પાણીની કમી થતી નથી. સાથે જ આ હાઈ બીપીથી પણ બચાવે છે.
મોર્નિંગ સિકનેસ – ગર્ભવતી મહિલઓને ખાટુ અથાણું કે અન્ય ખાટી વસ્તુ ખાવાનુ મન કરે ક હ્હે. તેથી કાચી કેરીથી મોર્નિગ્ન સિકનેસને દૂર કરી શકાય છે.
શુગરના દર્દીઓ માટે લાભકારી – કાચી કેરી શુગરમાં પણ લાભકારી છે. શુગર લેવલને ઓછુ કરવા માટે કાચી કેરીને દહી અને ભાત સાથે ખાઈ શકાય છે.
આ પણ વાંચો:શરીરની અનેક સમસ્યામાં રાહત આપે છે છાશ , જાણો એના ફાયદા
આ પણ વાંચો: સ્વીમીંગ પુલનું પાણી એટલે બીમારીઓને ભાવભર્યું આમંત્રણ, વાંચો કેમ..
આ પણ વાંચો:ક્યાંક કબૂતર તો નથીને આ બીમારીઓનું કારણ? આસપાસ ભેગા થતાં જ થઇ જાવ સાવધાન
આ પણ વાંચો:આ સ્મૂધી પીધા પછી તમારે નાસ્તો બનાવવો પડશે નહીં અને તમારું વજન તરત જ ઘટશે
આ પણ વાંચો:તરબુચની સીઝન તો આવી ગઈ, પણ શું તરબુચ વિશે આટલી વાતો જાણો છો !