લોકસભાની ચૂંટણીના પાંચમાં તબક્કા માટે આજે મતદાન થશે.આ પાંચમાં તબક્કામાં લોકસભાની ૫૧ બેઠકો પર મતદાન યોજાશે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યો પૈકી ઉત્તર પ્રદેશમાં 14, રાજસ્થાનમાં 12, પશ્ચિમ બંગાળમાં સાત, મધ્ય પ્રદેશમાં સાત, બિહારમાં પાંચ, ઝારખંડમાં ચાર બેઠકો પર મતદાન યોજાશે. પાચમાં તબક્કામાં આશરે 8.75 કરોડ મતદારો આશરે 674 ઉમેદવારોનું ભાવી નક્કી થશે.આ બેઠકો માટે સાતેય રાજ્યોમાં 94હજાર જેટલા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે.
રાજસ્થાનના જયપુર,કેન્દ્રિય મંત્રી રાજ્યવર્ધન રાઠૌર તેમના પરિવાર સાથે રાજસ્થાનના જયપુરમાં મતદાન કર્યું. કૉંગ્રેસે રાઠૌર વિરુદ્ધ ઓલમ્પિયન ક્રિષ્ના પુનિયાના ચૂંટણી મેદાનમાં ઉતારી.
લખનૌમાં બે દિગ્જ્જોએ કર્યું મતદાન, ગૃહમંત્રી અને લખનૌ ભાજપના ઉમેદવાર રાજનાથ સિંહે સ્કોલર્સ હોમ સ્કૂલમાં 333 મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. જયારે બસપા સુપ્રિમો માયાવતીએ સિટી મોન્ટેસોરી હાઇસ્કુલમાં મતદાન કર્યું. મત આપ્યા બાદ માયાવતીએ મતદાનની શક્તિ સમજી. કાળજીપૂર્વક વિચારો અને મત આપો તેવી મતદારોએ અપીલ કરી. તો રાજનાથ સિંહે ભાજપની ભારે બહુમતી સાથે જીત આશા વ્યક્ત કરી મતદારોનો માન્યો આભાર.