ગુજરાતમાં પ્રવાસનના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા એક બાદ એક નવીનતમ નિર્ણય લેવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં સી પ્લેનની સેવાને હરી ઝંડી આપ્યા બાદ હવે પ્રધાનમંત્રી મોદી ગુજરાતને અન્ય મોટી ભેટ આપવા જઈ રહ્યા છે.દેશના જુદા જુદા ભાગોથી લોકોની અવરજવર સહેલાઇ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના કેવડિયામાં “સ્ટેચ્યુ ઓફ યુનિટી” જોવા માટે આજે એકસાથે આઠ ટ્રેનોને ગ્રીન સિગ્નલ આપશે.વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનના અનુસાર આ ટ્રેનો કેવડિયાને વારાણસી, દાદર, અમદાવાદ, હઝરત નિઝામુદ્દીન, રેવા, ચેન્નાઈ અને પ્રતાપનગર સાથે જોડશે.ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રેલ્વે મંત્રી પિયુષ ગોયલ પણ ગુજરાતમાં આ રેલ્વે સંબંધિત પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે.
EPFO / લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં મ…
પ્રધાનમંત્રી ડભોઇ-ચાંચોડ ગેજ કન્વર્ઝન, ચાંચોદ-કેવડિયા ગેજ કન્વર્ઝન, નવનિર્મિત પ્રતાપનગર-કેવડિયા વિભાગનું વીજળીકરણ અને ડભોઇ, ચાંચોડ અને કેવડિયા સ્ટેશનોની નવી ઇમારતોનું ઉદ્ઘાટન પણ વીડિયો કોન્ફરન્સથી આયોજિત આ કાર્યક્રમમાં કરશે.પીએમઓએ નિવેદનમાં જણાવ્યું છે કે આ રેલ્વે સ્ટેશનો સ્થાનિક સુવિધાઓ અને આધુનિક મુસાફરોની સુવિધાથી સજ્જ છે. કેવડિયા એ દેશનું પહેલું સ્ટેશન છે જેનું ગ્રીન બિલ્ડિંગ હોવાનું પ્રમાણપત્ર છે.
PM Modi / કોરોના રસીકરણનું રિયલ ટાઇમ ફિડબેક લેતા નજરે પડ્યા PM મોદી…
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રોજેક્ટ્સ નજીકના આદિજાતિ વિસ્તારોમાં વિકાસ કામોને વેગ આપશે, નર્મદા નદીના કાંઠે મહત્વપૂર્ણ ધાર્મિક અને પ્રાચીન યાત્રાધામો સાથે જોડાણની સુવિધા આપશે, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પર્યટનને પ્રોત્સાહન આપે છે, અને આખા ક્ષેત્રને પ્રોત્સાહન આપે છે. તે સામાજિક અને આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ”પીએમઓએ કહ્યું કે આ સાથે તે રોજગાર અને વ્યવસાયની નવી તકોના વિકાસમાં પણ મદદ કરશે.
Vaccination / રસીકરણની શરૂઆતને લઇને કોંગ્રેસમાં ઉભરી આવ્યા જુદા જુદા મંતવ્…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…