મંતવ્ય ન્યૂઝ,
લોકસભાની ચૂંટણીની આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોવાની સાથોસાથ ઉમેદવારી પત્ર ભરવા માટેની અંતિમ તારીખ આડે હવે છેલ્લા 2 જ દિવસો બાકી રહ્યા છે ત્યારે હાલમાં ગુજરાતના રાજકારણને લઇને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. NCP નેતા જયંત બોસ્કીએ નિવેદન આપ્યું છે કે શંકરસિંહ વાઘેલા NCPમાંથી લોકસભા ચૂંટણી લડશે. શંકરસિંહ વાઘેલા સૌથી વધુ રસાકસી ધરાવતી ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડશે. તેઓ આગામી બે દિવસમાં ઉમેદવારી પત્ર ભરશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.