મહીસાગર,
મહીસાગરના જંગલોમાં વાધ હોવાનું ફરી એક વખત સામે આવ્યુ છે. સ્થાનિકોએ દાવો કર્યો છે કે જંગલમાં વાઘણ અને બાળ વાઘના પગલાના નિશાન મળી આવ્યા. ઉલ્લેખનિય છે કે વન વિભાગની બેદરકારીથી એક વાઘનું મોત થયું હતુ. મોતનું કારણ અકબંધ રહ્યુ છે. એક બાજૂ સ્થાનિકો વાઘ હોવાનો દાવો કરે છે જ્યારે બીજી બાજુ વનવિભાગ વાધ હોવાની પૃષ્ટિ કરતુ નથી. વન વિભાગના કહેવા મુજબ મળેલા નિશાન દિપડાના છે.