હળવદ મધ્યે આવેલ શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ના સાનિધ્યમાં સ્વ.વિનોદભાઈ કાનજીભાઈ જોટાણીયા ના સ્મરણાર્થે પાટિયાગ્રુપ દ્વારા અને વિશ્વ હિન્દૂ પરિષદ – શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ના સંયુક્ત ઉપક્રમે સ્વૈચ્છીક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં હળવદની વિવિધ સામાજિક સંસ્થા તથા સમસ્ત હળવદ, ગ્રામ્ય વિસ્તારના સેવાભાવી રક્તદાતાઓ એ ઉમળકાભેર રક્તદાન કરી આ રકતદાન કેમ્પ માં ૧૨૧ બ્લડ ની બોટલ એકત્રિત થયેલ.
આ પ્રસંગે પ.પૂ સંત શ્રી ભક્તિનંદન સ્વામીજી, શ્રી દિપકદાસજી મહારાજ , રણછોડભાઈ દલવાડી , ધીરુભા ઝાલા બીપીનભાઈ દવે, મનસુખભાઇ પટેલ , શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી નવલભાઈ શુક્લ, નાયબ મામલતદાર ચિંતનભાઈ આચાર્ય સહિત પત્રકાર મીત્રો તથા રાજકીય અને સામાજિક આગેવાનો આ કાર્યક્રમ માં ખાસ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ, દરેક રક્તદાતાઓ ને એક મોમેન્ટો ભેટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હતા.
આ કેમ્પ માં એકત્ર થયેલ બ્લડની બોટલ સિવિલ હોસલીટલ બ્લડ બેંક અમદાવાદ અને સંસ્કાર બ્લડ બેંક મોરબી ખાતે લોહીની જરૂરિયાત છે તેવા દર્દીઓ માટે ઉપયોગ માં લેવામાં આવશે.
આ કાર્યક્રમની સાથે હળવદમાં નવરાત્રી દરમિયાન બેસણી રાસમા ધુમ મચાવી નામના મેળવનાર વિવેકનું પાટિયા ગ્રુપ દ્વારા ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે આ સેવાકાર્ય માં સહયોગી સર્વે નો આયોજકો દ્વારા સહ હૃદય આભાર માનવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ના સ્વાગત વિધિ કાર્યક્રમનું સંચાલન રાજુભાઇ દવે એ કર્યું હતું
આ કાર્યક્રમ ને સફળ બનાવવા પાટિયા ગ્રુપ – વિશ્વ હિન્દુ પરિષદ – શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ ના તમામ સેવાભાવી કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી.
આ પણ વાંચો: ગેસની કાળાબજારીનો પર્દાફાશ, મોરબી એલસીબી ટીમે આરોપીને કરી ધરપકડ
આ પણ વાંચો:PM મોદીની ‘S’ યોજના જે ગુજરાતના આ ગામની છત પર છુપાયેલી છે