વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપનીઓમાંની એક માઈક્રોસોફ્ટ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સત્ય નડેલા અને તેમની પત્ની અનુના પુત્ર જૈન નડેલાનું સોમવારે સવારે ગંભીર બીમારીને કારણે અવસાન થયું હતું. જૈન નડેલા 26 વર્ષના હતા. જૈન જન્મથી જ સેરેબ્રલ પાલ્સી નામની ગંભીર બીમારીનો શિકાર હતો.
સૉફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટના ઈમેલ દ્વારા માહિતી આપતાં કહ્યું કે તેણે તેના એક્ઝિક્યુટિવ સ્ટાફને કહ્યું કે જૈનનું નિધન થઈ ગયું છે. સંદેશમાં અધિકારીઓને તેના પરિવાર માટે પ્રાર્થના કરવાનું કહેવામાં આવ્યું છે. આ દુખની ઘડીમાં સમગ્ર નડેલા સાથે ઉભા છે. આપને જણાવી દઈએ કે સત્ય નડેલા છેલ્લા 8 વર્ષથી કંપનીના સીઈઓ છે.
નડેલાએ આ મુદ્દા પર મૂક્યો હતો ભાર
સત્ય નડેલા 2014 થી માઇક્રોસોફ્ટમાં CEO પદ પર છે. નડેલાએ વિકલાંગ યુઝર્સને વધુ સારી રીતે સેવા આપવા માટે ઉત્પાદનો ડિઝાઇન કરવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે તેમના પુત્ર જૈનનું ભરણપોષણ અને મદદ કરતી વખતે તેઓ ઘણું શીખ્યા છે. ગયા વર્ષે, ચિલ્ડ્રન્સ હોસ્પિટલે, નડેલા સાથે મળીને, સિએટલ ચિલ્ડ્રન્સ સેન્ટર ફોર ઈન્ટીગ્રેટિવ બ્રેઈન રિસર્ચના ભાગરૂપે પીડિયાટ્રિક ન્યુરોસાયન્સિસમાં ઝૈન નડેલા એન્ડોવ્ડ ચેરની સ્થાપના કરી હતી.
ચિલ્ડ્રન હોસ્પિટલે શું સંદેશ આપ્યો?
ચિલ્ડ્રન્સ હોસ્પિટલના સીઈઓ જેફ સ્પિરિંગે તેમના બોર્ડને એક સંદેશમાં જણાવ્યું હતું કે જૈનને તેની સુંદર સંગીતની સૂઝ, તેના તેજસ્વી સ્મિત અને તે તેના પરિવાર અને પ્રિયજનો માટે જે આનંદ લાવે છે તેના માટે યાદ કરવામાં આવશે. આ સંદેશ Microsoft એક્ઝિક્યુટિવ્સ સાથે શેર કરવામાં આવ્યો હતો.
શું છે સેરેબ્રલ પાલ્સી
સેરેબ્રલ પાલ્સી એ એક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે જે બાળકની હરવા-ફરવાની ક્ષમતાને અસર કરે છે. વર્ષ 2017માં સત્ય નડેલા દ્વારા લખવામાં આવ્યું હતું, જેમાં સેરેબ્રલ પાલ્સીથી પીડિત તેમના પુત્ર સાથે જોડાયેલી ઘણી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :BharatPeના કો-ફાઉન્ડર અશ્નીર ગ્રોવરે આપ્યું રાજીનામું,મને કંપની છોડવાની ફરજ પાડવામાં આવી
આ પણ વાંચો :પ્રતિબંધોને કારણે રશિયન રૂબલ તૂટી પડ્યો, પૈસા ઉપાડવા માટે બેંકોમાં લાઇનો
આ પણ વાંચો :માધબી પુરી બુચ બન્યા સેબીના પ્રથમ મહિલા વડા, જાણો કોણ છે બુચ અને શા માટે તેઓ નિમણૂકમાં હતા સૌથી આગળ
આ પણ વાંચો : કચરામાંથી બનાવ્યું પેટ્રોલ-ડીઝલ, રોજનું 600થી 700 લિટર તૈયાર!