ચૂંટણી પંચ આજે એટલે કે 16 માર્ચે લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણી કાર્યક્રમની જાહેરાત સાથે જ આજથી જ દેશભરમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ. તમામ ઉમેદવારો અને રાજકીય પક્ષોએ આચારસંહિતાનું પાલન કરવું ફરજિયાત રહેશે. આચારસંહિતામાં કેટલાક નિયમો છે, જેનું પાલન ઉમેદવારો માટે ફરજિયાત છે.
ચૂંટણી પહેલાની આચારસંહિતા સૌપ્રથમ 1960માં લાગુ કરવામાં આવી હતી
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ચૂંટણી પહેલાની આચારસંહિતા પહેલીવાર 1960માં લાગુ કરવામાં આવી હતી. આ પછી, 1967ની સામાન્ય ચૂંટણીઓ અને વિધાનસભા ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી હતી. જો કે સમય અને જરૂરિયાત મુજબ આચારસંહિતાનાં ઘણા નિયમો અને સંસોધનમાં સમયાંતરે સુધારા-વધારા કરવામાં આવ્યા હતા. આજે આ સમાચાર દ્વારા અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આચારસંહિતામાં કયા નિયમો છે, જેનું પાલન ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે ફરજિયાત છે.
આચારસંહિતાના નિયમો શું છે?
- આદર્શ આચાર સંહિતા હેઠળ, કોઈપણ સત્તાધારી રાજકીય પક્ષ સરકારી યોજનાઓનું ઉદ્ઘાટન કે શિલાન્યાસ કરી શકશે નહીં કે ભૂમિપૂજન કરી શકશે નહીં.
- આ સાથે કોઈપણ ઉમેદવાર ચૂંટણી પ્રચાર માટે સરકારી વાહન, સરકારી વિમાન કે સરકારી બંગલાનો ઉપયોગ કરી શકશે નહીં.
- ચૂંટણી રેલી કે સરઘસ કાઢવા માટે ઉમેદવાર કે પક્ષે પ્રાદેશિક પોલીસ પાસેથી પરવાનગી લેવી પડશે.
- ઉમેદવારો ચૂંટણીમાં ધર્મ કે જાતિના નામે મત માગી શકતા નથી.
- ચૂંટણી દરમિયાન ચૂંટણી પ્રચાર હેતુથી પોતાની જમીન કે ઘર પર બેનર, પોસ્ટર કે ધ્વજ લગાવવા માટે કોઈની પરવાનગી લેવી જરૂરી રહેશે.
- ચૂંટણી દરમિયાન મતદાનના દિવસે દારૂની દુકાનો બંધ રહેશે.
- આ ક્રમમાં કોઈપણ ઉમેદવાર કે રાજકીય પક્ષ ચૂંટણી પ્રચાર માટે દારૂ કે પૈસા વગેરેનું વિતરણ કરી શકશે નહીં.
- મતદાન સ્થળ સરકારી શાળા વગેરે જેવી સાદી જગ્યાએ બનાવવામાં આવશે, જ્યાં કોઈપણ પ્રકારની ચૂંટણી પ્રચાર સામગ્રી હશે નહીં.
- કોઈપણ ઉમેદવાર કે રાજકીય પક્ષ મત મેળવવા માટે કોઈપણ મતદાર પર દબાણ કે ધમકી આપી શકે નહીં.
આ પણ વાંચોઃરાજકોટમાં મનસુખ જાદવનું કારસ્તાન ખુલ્યું, મંદિરની જગ્યામાં દબાણ કર્યું
આ પણ વાંચોઃસુરતના કતારગામ વિસ્તારમાં આધેડે વીડિયો બનાવી આપઘાત કર્યો
આ પણ વાંચોઃવડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી દારૂના જથ્થા સાથે રૂ. 40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે