કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને તેમનું પ્રતિનિધિમંડળ ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા તેઓએ દિલ્હી રોકાવવું પડયું હતું,ટેકનિકલ સમસ્યા દૂર થતા તેઓ દિલ્હીથી રવાના થયા હતા. ટ્રુડો રવિવારેના રોજ કેનેડા જવાના હતા, પરંતુ ટેકનિકલ ખામીના કારણે તેઓ અહીં અટવાઈ ગયા હતા.આ ટેકનિકલ સમસ્યા સર્જાઇ હોવાથી મોદી સરકારે ટ્રુડોને એર ઈન્ડિયાના વીઆઈપી પ્લેનમાં મુસાફરી કરવાની ઓફર કરી હતી, પરંતુ કેનેડાના PMએ ના પાડી હતી. ટ્રુડોને વિદાય આપવા માટે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર પણ એરપોર્ટ પર હાજર રહ્યા હતા.
On behalf of PM @narendramodi Ji and my colleagues in govt, I was at the airport today to thank Mr. Justin Trudeau, Hon’ble Prime Minister of Canada @JustinTrudeau for his presence at the #G20Summit and wished him and his entourage a safe trip back home. 🇮🇳 🇨🇦 pic.twitter.com/8gEg694YCs
— Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) September 12, 2023
કેનદ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે સોશિયલ મીડિયા પર ટ્રુડો સાથેનો એક ફોટો શેર કર્યો હતો અને તેમણે લખ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરકારમાં મારા સાથીદારો વતી હું કેનેડાના માનનીય વડાપ્રધાનને અભિનંદન આપું છું. G20 સમિટમાં જસ્ટિન ટ્રુડોની હાજરી બદલ તેમનો આભાર માનવા રાજય મંત્રી એરપોર્ટ પર હાજર હતા. તેમણે વડાપ્રધાન જસ્ટિન અને પ્રતિનિધિ મંડળને સુરક્ષિત રીતે પરત ફરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.