દરેક હિંદુ ધર્મમાં માનતા શ્રધ્ધાળુઓની દિલથી ઈચ્છા હોય છે કે જીવનમાં ઓછામાં ઓછું એક વખત ચાર ધામના દર્શન કરવા જ જોઈએ. પરંતુ તાજેતરમાં જે આંકડા સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. જેના કારણે મુસાફરોના દિલમાં ભયનો માહોલ સર્જાયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં બદરી, કેદારનાથ સહિત ચાર ધામોમાં લગભગ 102 શ્રદ્ધાળુઓના મોત થયા છે. રવિવારે ચારધામ યાત્રા પર આવેલા ત્રણ મુસાફરોને ઠંડી અને ઓક્સિજનની અછતને કારણે અચાનક કાર્ડિયાક અરેસ્ટ થવાથી મૃત્યુ થયું હતું. ભલે વહીવટીતંત્ર દ્વારા આરોગ્ય અને સલામતીની યોગ્ય વ્યવસ્થાના દાવા કરવામાં આવે છે, પરંતુ મૃત્યુના આ આંકડાએ મુલાકાતીઓની ચિંતા ઘણી હદે વધારી દીધી છે.
મળતી માહિતી મુજબ છેલ્લા 27 દિવસમાં લગભગ 102 લોકોના મોતથી સરકારની પણ ઉંઘ હરામ થઈ ગઈ છે. મૃત્યુઆંકને સતત ઘટાડવા માટે વહીવટીતંત્રે 50 વર્ષ સુધીના લગભગ 5600 મુસાફરોની તપાસ કરી છે. આ સાથે જે શ્રદ્ધાળુઓની તબિયત ખરાબ છે તેમને આરામ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત 56 હજારથી વધુ મુસાફરો માટે ઓપીડીની વ્યવસ્થા કરવામાં આવી છે.
યાદ અપાવી દઈએ કે, બદરી કેદારનાથ ધામના વિસ્તારમાં, અતિશય ઠંડી અને ઊંચાઈ પરના વાંકાચૂંકા રસ્તાઓને કારણે, યાત્રીઓને વધુ તકલીફ પડે છે. સ્થાનિક આરોગ્યના મહાનિર્દેશક શૈલજા ભટ્ટના જણાવ્યા અનુસાર, ઊંચાઈવાળા વિસ્તારોમાં હાઈપોથર્મિયા અને ઓક્સિજનનો અભાવ વધે છે. તેમનું કહેવું છે કે તબીબી રાહત કેન્દ્રો પર ઓક્સિજનની યોગ્ય વ્યવસ્થા, દવાઓ અને પૂરતા ડૉક્ટરોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ આંકડાઓ પર નજર કરીએ તો અત્યાર સુધીમાં યમુનોત્રીમાં 26, કેદારનાથમાં 50, ગંગોત્રીમાં 7 અને બદ્રીનાથમાં 102 મુસાફરોના મોત થયા છે.
આવી સ્થિતિમાં સરકાર-પ્રશાસને વધુ યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરીને મુસાફરોના મોતનો આંકડો ઘટાડી શકાય. જેના કારણે વધુ ભક્તો ડર્યા વગર બદ્રીનાથ ચાર ધામ પહોંચી શકે છે.
આ પણ વાંચો: બેકફૂટ પર AAP સરકાર, HCના જજ કરશે મુસેવાલા હત્યાની તપાસ
આ પણ વાંચો:સરકારે શરૂ કરી PM કિસાન યોજના જેવી યોજના, દર મહિને મળશે 2000 રૂપિયા
આ પણ વાંચો:UAEમાં મંકીપોક્સનો ભય વધ્યો, વધુ ત્રણ કેસ નોંધાયા