Gujarat/ નડિયાદના સીઆરપીએફ જવાનનું શ્રીનગરમાં હાર્ટએટેકથી નિધન, દીકરીઓએ આપ્યા અગ્નિદાહ

એક તરફ સમગ્ર દેશમાં યુવાનો વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવા માટે ઉતાવળા થઈ રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્યના નડિયાદ શહેરમાં રહેનારા સીઆરપીએફ જવાનનું ડ્યુટી દરમિયાન હાર્ટ એટેકના

Top Stories
1

એક તરફ સમગ્ર દેશમાં યુવાનો વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવા માટે ઉતાવળા થઈ રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્યના નડિયાદ શહેરમાં રહેનારા સીઆરપીએફ જવાનનું ડ્યુટી દરમિયાન હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. નડિયાદમાં રહેતા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં તહેનાત જવાનના નિધન થવાથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જવાનના પાર્થિવ દેહને જ્યારે લાવવામાં આવ્યો ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.સોમવારે ગાર્ડ ઓફ ઓનર સાથે તેને અંતિમ વિદાય આપવામાં આવી હતી. અંતિમયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

1

Bollywood / ખેડૂતોને આતંકવાદી ગણાવતા કંગના સામે કર્ણાટકમાં પોલીસ ફરિયાદ દાખલ

નડિયાદના કપડવંજ રોડ પર એસ.આર.પી.કેમ્પ ની સામે શુભ લક્ષ્મી સોસાયટીમાં રહેનારા દિનેશ મેટકરનું હૃદયરોગના હુમલાના કારણે નિધન થયું છે. દિનેશ સીઆરપીએફની ફરજ બજાવી રહ્યા હતા. તેમજ વર્તમાનમાં તેમની ડ્યુટી શ્રીનગર ખાતે હતી. ડ્યુટી દરમિયાન હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. રવિવારે દિનેશના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યો હતો.

Cricket / ચેન્નઇ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની શર્મનાક હાર, ભારત 192 રન પર ઑલઆઉટ

ત્યારબાદ મોડી રાત્રે નડિયાદમાં તેના ગામ પર તેને લઇ જવામાં આવ્યો હતો.રાતભર કોલ્ડ સ્ટોરેજમાં રાખવા પછી સોમવારે સવારે તેમના પાર્થિવ દેહને તેના ઘરે પહોંચાડવામાં આવ્યો હતો. જ્યાં તેની બંને દીકરીઓ એ સાથે મળી અને પિતાના અગ્નિસંસ્કાર કરી અને પોતાની ફરજ અદા કરી હતી.

ફરિયાદ / મધુ શ્રીવાસ્તવ સામે ફરિયાદ, વડોદરામાં પોલીસ કમિશ્નરને મળ્યા પત્રકારો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…