મહારાષ્ટ્ર/ દંપતીના આપઘાતના કેસની તપાસથી અસંતુષ્ટ ભાઈએ પોતાની આંગળી કાપીને સરકારને મોકલી, કહ્યું ન્યાય નહીં મળે તો…

મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નનાવરે દંપતીના આત્મહત્યા કેસમાં પોલીસ તપાસની નિષ્ફળતાને કારણે મૃતક નંદકુમાર નનાવરેના ભાઈએ પોતાની આંગળી કાપી નાખી હોવાનું જાણવા મળે છે.

India Trending
Untitled 167 દંપતીના આપઘાતના કેસની તપાસથી અસંતુષ્ટ ભાઈએ પોતાની આંગળી કાપીને સરકારને મોકલી, કહ્યું ન્યાય નહીં મળે તો...

મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નનાવરે દંપતીના આત્મહત્યા કેસમાં પોલીસ તપાસની નિષ્ફળતાને કારણે મૃતક નંદકુમાર નનાવરેના ભાઈએ પોતાની આંગળી કાપી નાખી હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં, તેણે આવું કરતા એક વીડિયો પણ બનાવ્યો છે જેમાં તે એવું કહી રહ્યો છે કે, જો તેને ન્યાય નહીં મળે તો તે દર અઠવાડિયે તેના શરીરનો એક ભાગ કાપતો રહેશે. નનાવરેના ભાઈનો આ વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નનાવરે દંપતીએ 20 દિવસ પહેલા કરી હતી આત્મહત્યા

હકીકતમાં, લગભગ 20 દિવસ પહેલા, નનાવરે દંપતીએ કેટલાક ગુંડાઓથી પરેશાન થઈને આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત કરતા પહેલા દંપતીએ એક વીડિયો વાયરલ કર્યો હતો, જેમાં તેણે સતારાના કેટલાક લોકો અને એક એડવોકેટનું નામ લઈને કહ્યું હતું કે આ તમામ લોકો તેમને માનસિક ત્રાસ આપતા હતા, જેના કારણે નનાવરે દંપતીએ આત્મહત્યા કરવાની ફરજ પડી છે. જણાવી દઈએ કે નંદકુમાર નનાવરે ઉલ્હાસનગર કેમ્પ નંબર 4ના આશલેપાડા વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. લગભગ 20 દિવસ પહેલા નંદકુમાર નનાવરેએ તેની પત્ની સાથે બંગલાની છત પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. નનાવરેની પત્નીનું નામ ઉર્મિલા છે. આત્મહત્યાના થોડા દિવસો પછી, એક વીડિયો સામે આવ્યો જેમાં નનાવરેએ કહ્યું કે કેટલાક ગુંડાઓ તેને પરેશાન કરી રહ્યા છે, તેથી તે આત્મહત્યા કરી રહ્યો છે.

આ ઘટનાને વીસ દિવસથી વધુ સમય થઈ ગયો છે પરંતુ પોલીસે એક પણ ધરપકડ કરી નથી. આથી પોલીસ તપાસથી અસંતુષ્ટ નંદકુમાર નનાવરેના ભાઈએ વિરોધમાં તેના શરીરના અંગો કાપી નાખવાની ધમકી આપી છે. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેણે પોતાની આંગળી કાપીને રાજ્ય સરકારને મોકલી છે અને કહ્યું છે કે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તે તેના શરીરના એક-એક અંગને કાપીને રાજ્ય સરકારને મોકલવાનું ચાલુ રાખશે.

જોકે, હવે આ કેસમાં થાણે ક્રાઈમ બ્રાન્ચે ચાર લોકોની અટકાયત કરી છે. કસ્ટડીમાં લેવામાં આવેલા લોકોમાં એનસીપીના પદાધિકારીઓનું પણ નામ છે. જેઓની અટકાયત કરવામાં આવી છે તેમના નામ કમલેશ નિકમ (NCP), નરેશ ગાયકવાડ (NCP), ગણેશ કાંબલે અને શશિકાંત સાકે છે.

નંદકુમાર નનાવરે અગાઉ પૂર્વ ધારાસભ્ય જ્યોતિ કલાનીના અંગત મદદનીશ તરીકે કામ કરતા હતા. આ પછી, છેલ્લા કેટલાક વર્ષોથી, તે અંબરનાથ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય બાલાજી કિન્નીકરના અંગત સહાયક તરીકે કામ કરી રહ્યો હતો. પરંતુ આ ઘટના બાદ ડો.બાલાજી કિન્નીકરે સોશિયલ મીડિયા દ્વારા સ્પષ્ટતા કરી હતી કે નનાવરે તેમના અંગત મદદનીશ નથી. નનાવરે પરિવાર સતારા જિલ્લાના રહેવાસી હતા. ત્યાં ઘણા લોકોએ નનાવરે દંપતીને પરેશાન કર્યા, ત્યારબાદ નનાવરે દંપતીએ વીડિયો બનાવીને આત્મહત્યા કરી લીધી.

આ પણ વાંચો:UP કોંગ્રેસ અધ્યક્ષની મોટી જાહેરાત, અમેઠીથી સ્મૃતિ ઈરાનીને પડકારશે ફેંકશે રાહુલ ગાંધી

આ પણ વાંચો:અધીર રંજન ચૌધરીનું સસ્પેન્શન ક્યાં સુધી? જાણો સંસદીય સમિતિની બેઠક પછી શું-શું થયું

આ પણ વાંચો:લાલુ યાદવ ફરી જશે જેલ? જામીન રદ કરવા સુપ્રીમ કોર્ટ પહોંચી CBI

આ પણ વાંચો:શ્વાનને લઇ ફરવા બાબતે થઇ બબાલ, બેંકના ગાર્ડે ધાબા પરથી 8 લોકો પર કર્યું ફાયરિંગ, બેના મોત