ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા નદી પર આવેલા સરદાર સરોવર ડેમમાં પાણી ની આવક સતત વધી રહી છે. ઉપરવાસમાં આશરે 1 લાખ 80હજાર ક્યૂશેક પાણી ની નવી આવક થઈ રહી છે જેને કારણે સરદાર સરોવર ડેમ 135.01 મીટરને પાર તેની ઐતિહાસિક સપાટીએ પોહચ્યો છે.
ડેમમાંથી અત્યારે 1 લાખ 70 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઊંચાઈ વધાર્યા બાદ ડેમ પહેલી વખત 84 ટકા જેટલો ભરાયો છે. ડેમમાં સતત નવા નીરની આવક થઈ રહી છે. ભાદરવામાં પણ નવા નીર ની આવક થઈ રહી છે. ડેમ ની કેપેસિટીથી તેની સપાટી માત્ર 3 મીટર ઓછી રહી છે. વરસાદને જોતાં આ સપાટી હજુ વધે તેવી શક્યતા લાગી છે. અત્યાર સુધી સીજન નો 96 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. ભવિષ્યનું જળ સંકટ જે ગુજરાત માં ઉદભવયુ હતું, તેમાથી ગુજરાત ને હવે મુક્તિ મળશે તેવું હાલ તો લાગી રહ્યું છે.
હવામાન વિભાગ દ્વારા હજુ પણ દક્ષિણ ગુજરાત અને અનેક જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેના જોતાં લાગી રહ્યું છે, ડેમમાં હજુ પણ જળ સપાટી ઊંચી આવી શકે છે.
આ પર થી એક વાત તો ચોક્કસ કહી શકાય કે આગામી ઉનાળામાં ખેડૂત કે ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.