Not Set/ #UPDATEબિહાર : મુઝફ્ફરપુરમાં નાસ્તાની ફેકટરીમાં આગ લાગતા 7ના મોત,

મુઝફ્ફનગર બિહારમાં મુઝફ્ફરપુરમાં એક ભીષણ આગનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મુઝફ્ફરપુરના ચકનૂરાં વિસ્તારમાં આવેલી એક નાસ્તાની ફેકટરીમાં આગ લાગવાની ઘટના બની છે. Bihar: 2 dead & 7 feared trapped after fire breaks out in a snacks factory in Chaknooran area in Muzaffarpur. Fire-fighting operation underway. pic.twitter.com/NSX18rHnBP— ANI (@ANI) December 31, 2018 આ આગ એટલી […]

Top Stories India Trending

મુઝફ્ફનગર

બિહારમાં મુઝફ્ફરપુરમાં એક ભીષણ આગનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મુઝફ્ફરપુરના ચકનૂરાં વિસ્તારમાં આવેલી એક નાસ્તાની ફેકટરીમાં આગ લાગવાની ઘટના બની છે.

આ આગ એટલી ભીષણ હતી કે ઘટનાસ્થળે જ ત્રણ  વ્યક્તિના મોત નીપજ્યા છે, જયારે અન્ય સાત વ્યક્તિઓ હજુ પણ ફેકટરીમાં ફસાયેલા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.

ફાયરબ્રિગેડને જાણ થતાં તુરંત ફાયર ફાઈટરો સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં ફાયર ફાયટરો દ્વારા પાણી છાંટીને આગને કાબુમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

જો કે આ નાસ્તાની ફેકટરીમાં આગ કેવી રીતે લાગી? તે અંગે ફાયરબ્રિગેડને તેમજ સ્થાનિક પોલીસને હજુ કોઈ વિગતો જાણવા મળી શકી નથી.

આ અંગે મુજફ્ફરપુરના ડીએમ (કલેકટર) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મુજફ્ફરપુર શહેરના ચકનૂરાં વિસ્તારમાં આવેલી એક સ્નેક્સ (નાસ્તા)ની ફેકટરીમાં આગ લાગવાની ઘટના બની છે. જેમાં ત્રણ વ્યક્તિના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. જયારે હજુ પણ સાત વ્યક્તિઓ ફેકટરીમાં લાપતા છે.