Not Set/ મુઝફ્ફરપુર શેલ્ટર હોમ રેપ કેસ મામલે CBIએ નોધ્યો કેસ, રાજ્ય સરકાર દ્વારા સોપાઈ હતી તપાસ

મુઝફ્ફરપુર, બિહારના મુઝફ્ફરપુર સ્થિત બાલિકાગૃહમાં રહેતી ૪૦ છોકરીઓ સાથે રેપ થયા હોવાની ઘટના સામે આવ્યા બાદ CM નીતિશ કુમારે આ ઘટનાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI)ને સોંપી હતી, ત્યારે હવે આ મામલે CBI એ કેસ નોધ્યો છે. આ મામલે પોલીસ દ્વારા અત્યારસુધીમાં ૧૦ આરોપીને પકડવામાં આવ્યા છે.આ દોષીઓમાં શેલ્ટર હોમના અધિકારીઓ અને કર્મચારીઓ શામેલ છે. CBI has registered a case on the […]

Top Stories India Trending
7v8t7dl shelter home 625x300 23 July 18 1 1 મુઝફ્ફરપુર શેલ્ટર હોમ રેપ કેસ મામલે CBIએ નોધ્યો કેસ, રાજ્ય સરકાર દ્વારા સોપાઈ હતી તપાસ

મુઝફ્ફરપુર,

બિહારના મુઝફ્ફરપુર સ્થિત બાલિકાગૃહમાં રહેતી ૪૦ છોકરીઓ સાથે રેપ થયા હોવાની ઘટના સામે આવ્યા બાદ CM નીતિશ કુમારે આ ઘટનાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI)ને સોંપી હતી, ત્યારે હવે આ મામલે CBI એ કેસ નોધ્યો છે.

આ મામલે પોલીસ દ્વારા અત્યારસુધીમાં ૧૦ આરોપીને પકડવામાં આવ્યા છે.આ દોષીઓમાં શેલ્ટર હોમના અધિકારીઓ અને કર્મચારીઓ શામેલ છે.

જો કે આ મામલાની ખાસ વાત એ છે કે, રેપ કેસ મામલે FIR નોધાયાના બે મહિના બાદ ડોકટરોની એક ટીમેં શેલ્ટર હોમ પહોચીને તપાસ  કરી છે. આ તપાસમાં ડોકટરોએ ઉપયોગમાં લેવાયેલી ૬૩ દવાઓ અને ડ્રગ્સના રેપર્સની એક યાદી બનાવી છે. આ તમામ દવાઓનું પરીક્ષણ કરવામાં આવશે. આ ઉપરાંત નિષ્ણાંતોની ટીમે છોકરીઓના કપડા અને એક કોમ્પ્યુટર પણ જપ્ત કર્યું છે.

આ મામલે ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી રહી છે, અને અત્યારસુધીમાં કરાયેલી મેડિકલ તપાસમાં ૩૪ છોકરીઓ સાથે રેપ થયા હોવાની પૃષ્ટિ થઇ છે.

વિપક્ષે લગાવ્યા આ આરોપ

બીજી બાજુ, આ ઘટનાને લઈ વિરોધી પક્ષોએ પણ મુખ્યમંત્રી નીતિશ કુમારને રાજીનામું આપવા માટે માંગ કરી હતી અને આરોપ લગાવ્યા હતા કે, આરોપીઓને હજી સુધી કેમ રિમાન્ડ પર લેવામાં આવ્યા નથી. આ ઉપરાંત આરોપ લગાવ્યા હતા કે, સરકાર આરોપીઓને બચાવી રહી છે અને તપાસ યોગ્ય રીતે થવા દેતી નથી.

આ ઘટના ક્યારે સામે આવી ?

આ આખી ઘટના ત્યારે સામે આવી જયારે ટાટા ઇન્સ્ટીટયુટ ઓફ સોશિયલ સાઈન્સની ટીમે આ શેલ્ટર હોમનું સોશિયલ ઓડીટ કર્યું હતું. જેમાં કુલ ૪૨ છોકરીઓના મેડીકલ રિપોર્ટમાંથી ૨૯ છોકરીઓના રિપોર્ટમાં યૌન શોષણની પુષ્ટિ થઇ હતી.

આ દરમિયાન પીડિતાએ પોલીસને કહ્યું હતું કે, એમની એક સાથીની હત્યા કરીને એના મૃતદેહને હોસ્ટેલ પરિસરમાં જ દાટી દેવામાં આવ્યો હતો. આ માહિતી મળ્યા બાદ પોલીસે ખોદકામ શરૂ કર્યું હતું પણ હજી સુધી ખોદકામમાં એવું કઈ મળ્યું ન હતું.