રાયપુર,
છત્તીસગઢમાં નક્સલીઓ વિરુધ ચલાવવામાં આવી રહેલા ઓપરેશનમાં સેનાને મોટી સફળતા મળી છે. રાજ્યના નક્સલ પ્રભાવિત ક્ષેત્ર બસ્તરના સુકમા જિલ્લામાં થયેલા એન્કાઉન્ટરમાં ૯ નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે.
જો કે આ એન્કાઉન્ટર દરમિયાન DRGના બે જવાનો શહીદ પણ થયા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કિસ્ટારામ ક્ષેત્રના સાકલેરમાં સોમવારે સવારે અંદાજે ૮ વાગ્યે આ એન્કાઉન્ટર શરુ થયું હતું, તે હજી સુધી ચાલુ છે.
રાજ્યમાં નક્સલ વિરોધી અભિયાનના DG ડી એમ અવસ્થીએ આ એન્કાઉન્ટરની પૃષ્ટિ કરતા કહ્યું હતું કે, સુકમા જિલ્લાના કિસ્ટારામ ક્ષેત્રમાં તેલંગાણા રાજ્યની સીમા નજીક પોલીસની ટુકડી દ્વારા નક્સલ વિરોધી અભિયાન “પ્રહાર ચોર” દરમિયાન ૯ નક્સલીઓને માર્યા છે.
તેઓએ વધુમાં કહ્યું હતું કે, જયારે પોલીસના જવાનો કિસ્ટારામ ક્ષેત્રમાં હતા ત્યારે નક્સલીઓએ આ જવાનો પર ફાયરિંગ શરુ કરી દીધું હતું, ત્યારબાદ જવાનો દ્વારા પણ જવાબી ફાયરિંગ કરવામાં આવ્યું હતું.