આમ આદમી પાર્ટી દ્વારા વિદેશી ડોનેશનના સ્વરૂપમાં મળતા દાન અંગે માહિતી આપવામાં કથિત ઉલ્લંઘન બદલ એક નોટીસ પાઠવવામાં આવી છે. ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ દ્વારા આપને ૩૦ કરોડ રૂપિયાના ટેક્સ અંગે આ નોટીસ પાઠવી છે. ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ દ્વારા આમ આદમી પાર્ટીને આ અંગે ૭ ડીસેમ્બર રોજ માહિતી આપવા માટે જણાવવામાં આવ્યું છે.
મહત્વનું છે કે, આમ આદમી પાર્ટીએ ગઈકાલે જ તેમની ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશમા પાર્ટીના સ્થાપનાના પાંચમી વર્ષગાંઠને એક રાજકીય સંગઠન તરીકે ગણાવ્યું હતું. તેમજ આ વર્ષની શરૂઆતમાં પણ, આપ દ્વારા કરદાતાઓને તેમની એકાઉન્ટ બુકમાં તેમજ ૨૦૧૪માં મળેલા દાન અંગેના રીપોર્ટમાં માહિતીમાં ચેડા કરવા બદલ ગેરસમજને સમજાવવા માટે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.