ભારત ચીનની પોસ્ટને જોડતા બ્રીઝનું તૂટવાનું કારણ ઓવરલોડીંગના લીધે તૂટી ગયાં હોવાનું માનવામાં આવે છે. ગંગોરીથી આગળ ભટવાડી, હર્ષિલ,ગંગોત્રી અને અસ્સી ગંગા નદી સહિત ભારત ચીન સરહદની ચેકપોસ્ટ સાથેનો સંપર્ક તૂટી ગયો છે.
સવારનાં સમયે બે ટ્રક એક સાથે નીકળ્યાં હતાં. તે જ સમયે પુલ વચ્ચેથી તૂટી ગયો. વર્ષ 2012માં ઉતરકાશીમાં પુર આવ્યું હતું. ત્રણ ઓગષ્ટે 2012એ ગંગોરીમાં અસ્સી નદી પર બનેલા પાક્કો પુલ નદીના વહેણમાં તૂટી ગયો હતો. જેના લીધે સરહદી માર્ગ સંગઠન અને આર્મીએ આ વૈલી બ્રીઝ બનાવ્યો હતો.