આજે રાષ્ટ્રીય પ્રેસ ડે છે. રાષ્ટ્રીત પ્રેસ ડે પર મમતા બેનર્જીએ ટ્વીટ કર્યું છે.
સીએમ મમતા બેનર્જીએ દેશની મીડિયા અને પત્રકારોને શુભેરછા પાઠવી હતી અને કહ્યું કે કોઈ પણ બીક રાખ્યા વગર પત્રકારત્વ કરવું જોઈએ. માત્ર સાચી રીપોર્ટીંગ જ કરવું જોઈએ.
ટ્વીટમા લખ્યું હતું કે રાષ્ટ્રી પ્રેસ દિવસ પર દેશના દરેક પત્રકારોને શુભકામના. મીડિયા લોકતંત્રનો ચોથો સ્તંભ છે અને મીડિયાએ હંમેશા સત્ય રીપોર્ટીંગ જ કરવું જોઈએ.
વધુમાં તેમણે કવિ રવીન્દ્રનાથ ટાગોરની એક કવિતાનું ઉદાહરણ આપ્યું હતું કે આ શબ્દો તમને પ્રેરિત કરે, ‘ જ્યાં મન ડર્યા વગર કામ કરે છે ત્યાં માથું હંમેશા ઊંચું રહે છે.
તમને જણાવી દઈએ કે ૧૬ નવેમ્બરનો દિવસ દર વરેશે રાષ્ટ્રીય પ્રેસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.