નવી દિલ્હી,
આતંકીઓના સેફ હેવન કહેવાતા પાકિસ્તાનની બોર્ડર પરથી પંજાબના ફિરોજપુરમાં જૈશ-એ-મોહમ્મદના ૭ આતંકી ઘુસ્યા હોવાનો ખુલાસો થયો છે.
પંજાબ પોલીસ ઇન્ટેલિજન્સના ઈનપુટના આધારે ભારત-પાકિસ્તાન બોર્ડર પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
માનવામાં આવી રહ્યું છે કે, ૭ આતંકીઓ આ જ વિસ્તારમાં છે અને રાજધાની દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. આ જોતા દિલ્હીમાં પણ સુરક્ષાનો પુખ્તા બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બુધવારે પંજાબના પઠાનકોટમાં માધોપુરથી ચાર શંકાસ્પદ દ્વારા એક કાર લુંટવામાં આવી હતી, ત્યારે હવે આ લૂંટને પણ આતંકીના ષડયંત્ર સાથે જોડવામાં આવી રહ્યું છે.
બીજી બાજુ આ ૭ આતંકીઓ રોડ માર્ગે દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે સુરક્ષા એજન્સીઓ દ્વારા ફિરોજપુરની તમામ બોર્ડર એરિયા સીલ કરવામાં આવી છે.