Not Set/ પાક. બોર્ડર પરથી પંજાબમાં ઘુસ્યા જૈશ-એ-મોહમ્મદના ૭ આતંકી, દિલ્હી હાઈએલર્ટ પર

નવી દિલ્હી, આતંકીઓના સેફ હેવન કહેવાતા પાકિસ્તાનની બોર્ડર પરથી પંજાબના ફિરોજપુરમાં જૈશ-એ-મોહમ્મદના ૭ આતંકી ઘુસ્યા હોવાનો ખુલાસો થયો છે. પંજાબ પોલીસ ઇન્ટેલિજન્સના ઈનપુટના આધારે ભારત-પાકિસ્તાન બોર્ડર પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, ૭ આતંકીઓ આ જ વિસ્તારમાં છે અને રાજધાની દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. આ જોતા દિલ્હીમાં પણ […]

Top Stories India Trending
jem 1 પાક. બોર્ડર પરથી પંજાબમાં ઘુસ્યા જૈશ-એ-મોહમ્મદના ૭ આતંકી, દિલ્હી હાઈએલર્ટ પર

નવી દિલ્હી,

આતંકીઓના સેફ હેવન કહેવાતા પાકિસ્તાનની બોર્ડર પરથી પંજાબના ફિરોજપુરમાં જૈશ-એ-મોહમ્મદના ૭ આતંકી ઘુસ્યા હોવાનો ખુલાસો થયો છે.

પંજાબ પોલીસ ઇન્ટેલિજન્સના ઈનપુટના આધારે ભારત-પાકિસ્તાન બોર્ડર પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

માનવામાં આવી રહ્યું છે કે, ૭ આતંકીઓ આ જ વિસ્તારમાં છે અને રાજધાની દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. આ જોતા દિલ્હીમાં પણ સુરક્ષાનો પુખ્તા બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

alert delhi પાક. બોર્ડર પરથી પંજાબમાં ઘુસ્યા જૈશ-એ-મોહમ્મદના ૭ આતંકી, દિલ્હી હાઈએલર્ટ પર
national-jaish-e-mohammad-7-terrorists-punjab-ferozpur-area-planning-towards-delhi-aleart

અત્રે ઉલ્લેખનીય છે કે, બુધવારે પંજાબના પઠાનકોટમાં માધોપુરથી ચાર શંકાસ્પદ દ્વારા એક કાર લુંટવામાં આવી હતી, ત્યારે હવે આ લૂંટને પણ આતંકીના ષડયંત્ર સાથે જોડવામાં આવી રહ્યું છે.

બીજી બાજુ આ ૭ આતંકીઓ રોડ માર્ગે દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે સુરક્ષા એજન્સીઓ દ્વારા ફિરોજપુરની તમામ બોર્ડર એરિયા સીલ કરવામાં આવી છે.