પંજાબ/ હોશિયારપુરમાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક

રાહુલ ગાંધીની નજીક આવતા જ સુરક્ષાકર્મીઓ અને નેતાઓ સક્રિય થઈ ગયા અને તેમને તરત જ ત્યાંથી હટાવ્યો. આ ઘટના બાદ હવે અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે.

Top Stories India
ભારત જોડો યાત્રા

રાહુલ ગાંધી (Rahul Gandhi)ના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) હાલમાં પંજાબમાંથી પસાર થઈ રહી છે. પંજાબમાં રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને પાર્ટી ખૂબ જ ચિંતિત છે. દરમિયાન મંગળવારે રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી. હોશિયારપુર (Hoshiarpur)ના દસુહામાં એક વ્યક્તિ સુરક્ષા કોર્ડન તોડીને રાહુલ ગાંધીની નજીક પહોંચી ગયો અને રાહુલ ગાંધીને ગળે વળગી ગયો હતો.

ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની નજીક આવતા જ સુરક્ષાકર્મીઓ અને નેતાઓ સક્રિય થઈ ગયા અને તેમને તરત જ ત્યાંથી હટાવ્યો. આ ઘટના બાદ હવે અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. સૌથી મહત્વનો સવાલ એ છે કે આટલી કડક સુરક્ષામાં કોઈ વ્યક્તિ રાહુલ ગાંધીની આટલી નજીક કેવી રીતે જઈ શકે. જે સમયે આ વ્યક્તિ રાહુલ ગાંધીની નજીક પહોંચ્યો તે સમયે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર રાજા વારિંગ પણ ત્યાં હતા અને તેમણે સુરક્ષાકર્મીઓ સાથે મળીને તેમને ત્યાંથી હટાવ્યો હતો.

કોંગ્રેસે બે વખત પત્ર લખ્યો છે

આપને જણાવી દઈએ કે કોંગ્રેસે રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને ગૃહમંત્રી અમિત શાહને બે વખત પત્ર લખ્યો છે. જો કે, રાહુલ ગાંધીની સુરક્ષામાં લાગેલા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સનું કહેવું છે કે રાહુલ ગાંધીએ પોતે અનેક પ્રસંગોએ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું છે.

‘આ અસ્વીકાર્ય છે’

ગૃહમંત્રી અમિત શાહને લખેલા પત્રમાં, કોંગ્રેસે કહ્યું હતું કે, “સીઆરપીએફ તરફથી પ્રતિક્રિયા આવી છે જેની સામે અમે ચિંતા વ્યક્ત કરી રહ્યા છીએ… આ અસ્વીકાર્ય છે, કારણ કે તેનાથી સમસ્યાનો ઉકેલ આવશે નહીં.” અગાઉ, કોંગ્રેસે એક પત્રમાં ભારત જોડો યાત્રાના દિલ્હીમાં સુરક્ષા ભંગનો આરોપ લગાવ્યો હતો.

કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા હતા

કોંગ્રેસના નેતાઓ જયરામ રમેશ અને પવન ખેડા દ્વારા ટ્વિટર પર શેર કરાયેલ પત્રમાં લખ્યું છે કે, “અજાણ્યા વ્યક્તિઓ રાહુલ ગાંધીની ખૂબ નજીક આવ્યા હોય તેવા ઘણા કિસ્સાઓ છે, તેના વીડિયો અને ફોટોગ્રાફિક પુરાવા શેર કરી શકાય છે.” તે દરમિયાન પાર્ટીએ એમ પણ કહ્યું હતું કે હરિયાણા પોલીસના ગુપ્તચર એકમના કર્મચારીઓએ યાત્રામાં ઘૂસણખોરી કરી હતી અને આ અંગે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

આ પણ વાંચો:બડગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, ગોળીબારમાં બેના મોત

આ પણ વાંચો:અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના પાકિસ્તાનના ઠેકાણા વિશે ભાણજાએ કર્યો મોટો ખુલાસો,કરાંચીના આ વિસ્તારમાં છુપાયો છે

આ પણ વાંચો: નેપાળ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા મૃતકોના પરિજનોને કાઠમંડુ મોકલવામાં આવ્યા,મૃતદેહની ઓળખ બાદ ભારત લાવવમાં આવશે