જમ્મુ-કાશ્મીરને અન્ય રાજ્યોના મુકાબલે સ્પેશિયલ સ્ટેટસ અપાવતી સંવિધાનની કલમ 370 અને 35એ ને લઈને નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યએ વિવાદિત નિવેદન આપ્યું છે. ઉમર અબ્દુલ્લાની પાર્ટીના ધારાસભ્ય જાવેદ રાણાએ કહ્યું કે જો આ કલમો દૂર કરવામાં આવશે તો કાશ્મીરમાં ભારતનો ઝંડો નહિ દેખાય.
એમણે કહ્યું કે અનુચ્છેદ 35એ માં જો કોઈ બદલાવ કરવામાં આવે છે અથવા કલમ 370 સમાપ્ત કરવામાં આવે છે તો કાશ્મીરમાં ભારતીય ધ્વજ દેખાશે નહિ.
જણાવી દઈએ કે વર્ષ 1954 માં રાષ્ટ્રપતિના આદેશ બાદ સંવિધાનમાં અનુચ્છેદ 370 જોડવામાં આવ્યો હતો. જે જમ્મુ-કાશ્મીરના લોકોને વિશેષાધિકાર પ્રદાન કરે છે. અને રાજ્યની વિધાનસભાને કોઈ પણ કાનૂન બનાવવાનો અધિકાર આપે છે. જેને પડકારી શકાતો નથી.
આ અનુચ્છેદ જમ્મુ-કાશ્મીરના લોકોને છોડીને બાકી ભારતીય નાગરિકોને રાજ્યમાં અચલ સંપત્તિ ખરીદવા, સરકારી નોકરી મેળવવા અને રાજ્ય સરકારની શિષ્યવૃતિ યોજનાઓનો લાભ લેવાથી રોકે છે.