હજુ થોડા સમય પહેલા જ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટને શાહિદે કાશ્મીર મામલે પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારત-પાકિસ્તાનની કાશ્મીર મામલે લડાઈને લીધે કેટલાય નિર્દોષ લોકો શહીદ થાય છે જે બિલકુલ યોગ્ય નથી તેને બદલે કાશ્મીરને અલગ દેશ બનાવી દેવો જોઈએ.
કાશ્મીર વિશે આ નિવેદન સાંભળીને રાજનાથ સિંહ ભડકી ઉઠ્યા હતા અને કહ્યું હતું કે વાત તો તેમની સાચી છે કે તે લોકો પાકિસ્તાનને સંભાળી નથી શકતા તો કાશ્મીરને શું સંભાળવાના ?
વધુમાં તેમણે કહ્યું હતું કે કાશ્મીર ભારતનો ભાગ હતો અને આગળ પણ રહેશે.
અફરીદી આની પહેલા પણ કાશ્મીર મામલે બીજા ઘણા નિવેદન આપી ચુક્યા છે જેને લઈને તેઓ ચર્ચામાં રહે છે.
પાકિસ્તાને કાશ્મીરની ચિંતા ન કરવી જોઈએ
ઈગ્લેન્ડમાં હાઉસ ઓફ કોમન્સની કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે પાકિસ્તાને કાશ્મીરની ચિંતા ન કરવી જોઈએ. પાકિસ્તાનથી પોતાના ર્જ્યો સંભાળી નથી શકાતા તેવામાં તે કાશ્મીર કેવી રીતે સંભાળશે
નિર્દોષ થાય છે શહીદ
આપણને સૌને ખબર છે કે ભારત-પાકિસ્તાનની કાશ્મીર મામલે રોજ કેટલાય જવાનો શહીદ થાય છે.
તમને જણાવી દઈએ કે અફરીદીએ પોતાની એક સંસ્થા શાહિદ અફરીદી ફાઉન્ડેશન સાથે સંકળાયેલ એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ત્યાં હાજર રહ્યા હતા.
કાશ્મીરને બનાવી દો અલગ રાજ્ય
વધુમાં તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન કે ભારત કોઈનું કાશ્મીર નથી. કાશ્મીરને એક અલગ દેશનો દરજ્જો આપી દેવો જોઈએ. બંને દેશના કેટલા બધા લોકો સરહદ પર મારી રહ્યા છે જે બિલકુલ યોગ્ય નથી. આ જોઇને ઘણું દુઃખ થાય છે નિર્દોષ લોકો શહીદ થઇ રહ્યા છે.