પંજાબ નેશનલ બેંકે ક્યારેય સપનામાં પણ નહિ વિચાર્યું હોય કે, નિરવ મોદીના લીધે બેંકની આટલી બધી બદનામી થશે.
તમને જણાવી દઈએ કે, ભારતના પૂર્વ વડાપ્રધાને પણ પંજાબ નેશનલ બેંક પાસેથી કાર લેવા માટે લોન લીધી હતી. હાલ એક બાજુ નિરવ મોદી દ્વારા ૧૧,૪૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ કરી છેતરપીંડી કરી છે. તેનું ઉદાહરણ છે તો તેની બીજી બાજુ પંજાબ નેશનલ બેન્કના ગ્રાહક રહી ચુકેલા ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું ઈમાનદારીનું ઉદાહરણ પણ છે.
ઘણા લોકોને નહી ખબર હોય કે લાલ બહાદુરએ શાસ્ત્રી જયારે વડાપ્રધાન બન્યા ત્યારે નાની કાર તો દૂરની વાત પણ પોતાનું ઘર પણ નહોતું. જેને લઈને એકવાર શાસ્ત્રીજીના દીકરાઓએ તેમને ફરિયાદ કરી હતી કે, તમે તો વડાપ્રધાન છો એક કાર તો તમારા સાથે હોવી જ જોઈએ.
તેમના સમયમાં એક ફિએટ કારની કિંમત ૧૨ હજાર રૂપિયા હતી. જયારે તેમના બેન્કના ખાતામાં માત્ર સાત હજાર રૂપિયા જ હતા.
શાસ્ત્રીજી પાસે એક કાર લઇ શકાય તેટલા પર્યાપ્ત પૈસા નહતા. આથી તેમણે પંજાબ નેશનલ બેન્કમાંથી લોન લેવાનું વિચાર્યું. કાર લેવામાં માત્ર પાંચ હજાર રૂપિયા જ ખૂટતા હતા. આથી તેમણે એટલા રૂપિયાની લોન લીધી આ કાર શાસ્ત્રીજીને ખુબ પ્રિય હતી. તેમનું જ્યાં-જ્યાં પોસ્ટીંગ થતું હતું ત્યાં-ત્યાં તેઓ આ કરને પણ સાથે લઈને જતા હતા.
લોન લીધા તેના એક વર્ષ બાદ જ લોનની ચુકવણી પહેલા શાસ્ત્રીજીનું નિધન થઇ ગયું હતું.
લાલ બહાદુર શાસ્ત્રીના નિધન બાદ ઇન્દિરા ગાંધી જયારે વડાપ્રધાન બન્યા હતા. ત્યારે તેમણે સરકાર જોડેથી આ લોનને માફ કરવા અંગેની રજૂઆત કરી હતી પરંતુ શાસ્ત્રીજીના પત્ની લલિતા શાસ્ત્રીએ તેનો અસ્વીકાર કર્યો હતો અને તેમના પતિના પેન્શનમાંથી લોનની રકમની ચુકવણી કરી ઈમાનદારીનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
તમને જણાવી દઈએ કે, આ કાર હાલ પણ દિલ્હીમાં આવેલ લાલ બહાદુર શાસ્ત્રી મેમોરીયલમાં રાખવામાં આવી છે અને દુનિયાભરમાંથી લોકો તેને જોવા માટે આવે છે.