@પ્રજાપતિ તુષાર “ઝાકળ”
આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પૂજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી કુષ્માંડાની ઉપાસના
આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પૂજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી કુષ્માંડાની ઉપાસના કરવાથી બધા જ રોગો અને કષ્ટો નાશ પામે છે. આમની ભક્તિથી આયુષ્ય, બળ અને આરોગ્યની વૃધ્ધી થાય છે.
શું છે કુષ્માંડાનો અર્થ:-
કુ નો અર્થ કુછ, ઉષ્માનો અર્થ છે તાપ, અને અંડાનો અર્થ છે બ્રહ્માંડ એટલે કે સૃષ્ટિ. જેને ઉષ્માના અંસથી આ સૃષ્ટિનું ઉત્પન્ન કર્યું તે દેવી કુષ્માંડા છે. પુરાણોમાં લખાયુ છે કે, જ્યારે ચારેતરફ અંધકારમાં સમયની ઉત્પત્તિ પણ થઈ ન હતી, ત્યારે માએ સૃષ્ટિના સર્જનનો સંકલ્પ લીધો હતો.
કેવું છે તેમનું સ્વરૂપ:-મા કુષ્માંડાની આઠ ભૂજાઓ છે. સાત ભૂજાઓમાં ધનુષ, બાણ, કમળ, અમૃત, ચક્ર, ગદા અને કમંડળ ધારણ કરેલા હોય છે અને આઠમી ભૂજામાં તેઓ માળા રાખે છે. જે અષ્ટ સિદ્ધીઓ અને 9 નિધીઓ આપે છે.
મા કુષ્માંડાનો ઉપાસના મંત્ર:-
‘सुरासम्पूर्णकलशं रुधिराप्लुतमेव च। दधाना हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदास्तु मे॥’
या
‘या देवी सर्वभूतेषु मां कूष्माण्डा रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।’
या
‘ऊं ऐं ह्रीं क्लीं कुष्मांडायै नम:।।’
મા કુષ્માંડાને આવી રીતે લગાવો ભોગ
શાસ્ત્રોમાં લખાયેલી માહિતી મુજબ, માતાના ચોથા સ્વરૂપને માલપુઆ બહુ જ ગમે છે. ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે, માલપુઆનો ભોગ લગાવવાથી માતા પ્રસન્ન થાય છે અને મનુષ્યોને કષ્ટો અને દુખોમાંથી મુક્તિ અપાવે છે.