કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સતત કામ કરી રહ્યા છે. ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધવાથી પ્રદૂષણમાં ઘટાડો થવાની સાથે ઈંધણની મોંઘી કિંમતમાંથી પણ રાહત મળી શકે છે. હાલમાં પેટ્રોલ – ડીઝલ વાહનો કરતાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમત ઘણી વધારે છે.
આ અંગે કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીનું કહેવું છે કે આવનારા સમયમાં ઈવીની કિંમત પેટ્રોલ કાર કરતા પણ ઓછી હશે. તેમણે એમ પણ કહ્યું કે જો અમેરિકન ઇલેક્ટ્રિક વાહન નિર્માતા ટેસ્લા ભારતમાં તેના ઇલેક્ટ્રિક વાહનો બનાવે છે, તો તેનાથી કંપનીને પણ ફાયદો થશે.
કેન્દ્રીય મંત્રીએ સોમવારે એક કાર્યક્રમમાં કહ્યું કે તે દિવસ દૂર નથી જ્યારે દેશમાં તમામ ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ વાહનોની કિંમત કરતા ઓછી હશે. તેમણે કહ્યું, ‘જો ટેસ્લા ભારતમાં ઇલેક્ટ્રિક કાર બનાવે છે તો તેમને પણ ફાયદો થશે.’ તમને જણાવી દઈએ કે ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે તાજેતરમાં જ ટ્વિટર ખરીદવાનો સોદો કર્યો હતો.
ગડકરીએ અગાઉ 26 એપ્રિલે કહ્યું હતું કે જો ટેસ્લા ભારતમાં તેના ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરવા તૈયાર હોય તો કોઈ સમસ્યા નથી. પરંતુ કંપનીએ ચીનથી કાર આયાત ન કરવી જોઈએ. તેમણે રાયસીના ડાયલોગમાં કહ્યું હતું કે, ‘જો ઈલોન મસ્ક ભારતમાં ઉત્પાદન કરવા તૈયાર છે, તો કોઈ સમસ્યા નથી. ભારતમાં આવો, ઉત્પાદન શરૂ કરો, ભારત એક મોટું બજાર છે, તેઓ ભારતમાંથી નિકાસ કરી શકે છે.’
ગયા વર્ષે, ભારે ઉદ્યોગ મંત્રાલયે ટેસ્લાને કહ્યું હતું કે સરકાર કોઈપણ ટેક્સ, રિબેટને ધ્યાનમાં લે તે પહેલાં કંપનીએ ભારતમાં તેના ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન શરૂ કરવું જરૂરી છે.
આ પણ વાંચો: Ashok Gehlot on BJP/ ‘ભાજપનો એજન્ડા જાતિ અને ધર્મના આધારે લડવાનો’, અશોક ગેહલોતે પ્રહારો કર્યા
આ પણ વાંચો: નવી દિલ્હી/ મેહુલ ચોક્સી વિરુદ્ધ વધુ એક FIR, 22 કરોડની છેતરપિંડીનો છે કેસ