મધ્યપ્રદેશ/ બાગેશ્વર ધામ પરિસરમાં પિસ્તોલ અને કારતુસ સાથે ઘૂસ્યો બિન-હિન્દુ યુવક, પોલીસે કરી ધરપકડ

આરોપી સામે આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કર્યો હતો. પોલીસે તેની પાસેથી 315 બોરની પિસ્તોલ અને જીવતા કારતૂસ જપ્ત કર્યા હતા.

India

બાબા બાગેશ્વર ધામની પરિક્રમા પરિસરમાંથી પોલીસે દેશી બનાવટની પિસ્તોલ અને કારતુસ સાથે એક બિન-હિન્દુ યુવકની ધરપકડ કરી છે. આ બાબતે વધુ માહિતી આપતાં એસપી અમિત સાંઘીએ જણાવ્યું હતું કે રજ્જન ખાન (44) નામનો યુવક ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયો છે. આરોપી મધ્યપ્રદેશના શિવપુરીની ઈન્દ્રા કોલોનીનો રહેવાસી છે.

આરોપી સામે આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કર્યો હતો. પોલીસે તેની પાસેથી 315 બોરની પિસ્તોલ અને જીવતા કારતૂસ જપ્ત કર્યા હતા. હવે પોલીસ એ જાણવાની કોશિશ કરી રહી છે કે આરોપી અહી દુષ્કર્મ કરવા આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસ એલર્ટ મોડ પર છે.

મળતી માહિતી મુજબ, યુવક બાગેશ્વર ધામના પરિક્રમા સંકુલમાં લોકોને એક યુવક શંકાસ્પદ જણાયો હતો. સ્થળ પર હાજર લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે યુવકને પકડીને તેની તલાશી લેતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા હતા.

આપને જણાવી દઈએ કે, બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને સતત ધમકીઓ મળી રહી હતી. આ પછી સરકારે તેમને સુરક્ષા પૂરી પાડી હતી. બિહારમાં કથા કર્યા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપવાની માંગ કરવામાં આવી હતી. આ માંગ બિહારના IPS અને ભૂતપૂર્વ DG અરવિંદ પાંડેએ કરી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તેમને વાય કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો:Rathyatra Live:પહેલો રથ કાલુપુર સ્ટેશન પહોંચ્યો, CM ડેશ બોર્ડથી નજર રાખી રહ્યા છે

આ પણ વાંચો:અમદાવાદમાં કયા રસ્તાથી નીકળશે રથયાત્રા, જુઓ રૂટ

આ પણ વાંચો:જો તમે જગન્નાથ રથયાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો તમારે આ વાનગીઓનો સ્વાદ જરૂર માણવો

આ પણ વાંચો:જગન્નાથમય અમદાવાદમાં આ રસ્તાઓ પર આજે નીકળવાનું ટાળજો