સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેટની સામે હત્યાનો કેસ સામે આવ્યો છે. કારમાં સવાર આણંદના કુખ્યાત સિદ્ધાર્થ રાવ પર હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. ધોળા દિવસે હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં પૈસાની લેણદેણના કારણે હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો :અમદાવાદ કોર્પોરેશનના બજેટને નડ્યો કોરોના, પાછલા વર્ષ કરતા 1432 કરોડનો ઘટાડો
સરથાણાના એસીપી સી.કે.પટેલે જણાવ્યું હતું કે મૃતકનું નામ સિદ્ધાર્થ સંદિપભાઇ રાવ (32) છે. પાર્કિંગની જગ્યામાં કાર રાખતા સમયે અજાણ્યા શખ્સોએ તેના પર છરી વડે હુમલો કર્યો હતો. જે બાદ ગંભીર હાલતમાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત થયું છે. પોલીસે જણાવ્યું કે સિદ્ધાર્થ આણંદથી કાર લઇને સુરત આવ્યો હતો.
આ પણ વાંચો :વડોદરામાં બે યુવતીઓ વચ્ચે થયો પ્રેમ અને પછીથી જે થયું એ વાંચીને થઇ જશો ચકિત
પાંચ શખ્સોએ કર્યો હુમલો
5 જેટલા શખ્સોએ તેની ઉપર હુમલો કર્યો હતો અને જે બાદ ફરાર થઇ ગયા હતા. પોલીસે કરેલી પ્રાથમિક તપાસ મુજબ પૈસાની લેવડદેવડનાં કારણે તેની હત્યા કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. સીસીટીવી ફૂટેજથી આરોપીની શોધ કરવામાં અવી રહી છે. આ ઘટનામાં 5 આરોપીઓ સંડોવાયેલા છે. હાલ આરોપીને પકડવા દરોડા પાડવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો :મહિલાના ગળામાંથી ચેન ઝૂંટવી શખ્સ ફરાર, CCTV માં ઘટના થઇ કેદ