રાજકારણની રમત/ હવે કોંગ્રેસના આગેવાન નેતા નીતિન પટેલે પણ આપ્યું રાજીનામુ..જાણો કારણ..

કોંગ્રેસ માટે નીતિન પટેલ પણ આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોના સંભવિત લિસ્ટમાં પ્રબળ દાવેદારી ધરાવતા નેતા હતા

Top Stories Gujarat Others
8 1 1 હવે કોંગ્રેસના આગેવાન નેતા નીતિન પટેલે પણ આપ્યું રાજીનામુ..જાણો કારણ..

ગુજરાતમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં નવા નવા દાવપેચ જોવા મળવાના છે તે નક્કી છે.  જોકે આ આખા રાજકારણના ખેલમાં કોંગ્રેસની હાલત વધુ તકલીફમાં હોય તેવી જોવા મળી રહી છે.  કોંગ્રેસને હજુ ઉમેદવારો કોને નક્કી કરવા તેની ગાંઠ ઉકેલવામાં પડ્યા છે ત્યાં અમદાવાદ કોંગ્રેસના આગેવાન એવા નીતિન પટેલે કોંગ્રેસની ઉચ્ચ નેતાગીરી સામે રાજીનામુ ધરી દીધું છે. આમ તો કોંગ્રેસ માટે નીતિન પટેલ પણ આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોના સંભવિત લિસ્ટમાં પ્રબળ દાવેદારી ધરાવતા નેતા હતા કારણ કે તેમણે ગત 2017ની વિધાનસભા ચૂંટણી વખતે નારણપુરા વિધાનસભાથી ઉમેદવારી કરી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ કોંગ્રેસના દમદાર નેતાઓના લિસ્ટમાં સમાવિષ્ટ એવા કોંગ્રેસ ડેલીગેટ પ્રદેશના પૂર્વ મંત્રી નીતિન પટેલનું રાજીનામું કોંગ્રેસ માટે મોટો ઝટકો છે. નીતિન પટેલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પોતાનું રાજીનામું આપ્યું છે. રાજીનામુ આપતા લખ્યું હતું કે, આ સાથે જણાવવાનું કે હું અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપું છું તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું.

8 હવે કોંગ્રેસના આગેવાન નેતા નીતિન પટેલે પણ આપ્યું રાજીનામુ..જાણો કારણ..

નોંધનીય છે કે તેમણે અન્ય કોંગ્રેસના નેતાઓની જેમ અહીં રાજીનામામાં પોતાના રાજીનામા આપવાનું કારણ ક્યાંય ઉલ્લેખ્યું ન હતું. જોકે અહીં ચાલતા ગણગણાટનું માનીએ તો તેઓ હવે કોંગ્રેસમાં રહેવા માગતા ન હતા અને આગામી સમયમાં પક્ષ સાથેની કોઈ કામગીરીમાં જોડાવા માગતા ન હતા.

ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બેઠક અમદાવાદની નારણપુરા બેઠક પરથી તેઓ અગાઉ વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના પંજા હેઠળ ચૂંટણી લડી ચુક્યા છે. આ બેઠક પરનું પરિણામ સહુ જાણેછે. છતા એ વાતને પણ નજરઅંદાજ ના કરી શકાય કે આ બેઠક પરથી 41 હજાર મત નીતિન પટેલના ખાતામાં પડ્યા હતા.