અમેરિકાએ હવાઈ હુમલામાં ઈરાનની કુદ્સ ફોર્સનાં ચીફ જનરલ કાસિમ સુલેમાનીની હત્યા કર્યા બાદ ઈરાને હવે પરમાણુ કરારથી અલગ થવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે ઈરાન કેટલીક મોટી કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે. પરંતુ તે દરમિયાન, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ, ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને યુકેનાં વડા પ્રધાન બોરિસ જ્હોનસે નિવેદનો જારી કર્યા છે કે ઈરાનને પરમાણુ કરારમાંથી અલગ થવાના નિર્ણયને પાછો ખેંચવાની અપીલ કરવામાં આવી છે.
ઇરાને રવિવારે સાંજે જાહેરાત કરી છે કે, તે હવે 2015 નાં પરમાણુ કરાર હેઠળ લાદવામાં આવેલા પ્રતિબંધોનું પાલન કરશે નહીં. ઇરાનની સત્તાવાર ટીવી જણાવે છે કે ઈરાન હવે કોઈપણ સંજોગોમાં તેના 2015 નાં પરમાણુ કરારનું પાલન કરશે નહીં. વળી, ઇરાન તેનો પરમાણુ કાર્યક્રમ ફરીથી શરૂ કરશે. વળી, બગદાદમાં યુએસ એમ્બેસી નજીક રોકેટ હુમલો થયો છે. માહિતી અનુસાર, પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા બે રોકેટ દૂતાવાસ નજીક પડ્યા હતા.
2015 નાં કરાર મુજબ ઈરાનને તેની સંવેદનશીલ પરમાણુ પ્રવૃત્તિઓને મર્યાદિત કરવાની અને આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોને આવવાની મંજૂરી આપવામાં આવી હતી. બદલામાં, ઈરાન પર આર્થિક પ્રતિબંધો કાઢી નાખવામાં આવ્યા. આ કરારને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 2018 માં રદ કર્યો હતો. તેમણે કહ્યું કે તે ઈરાન સાથે નવો કરાર કરવા માંગે છે જે તેના પરમાણુ કાર્યક્રમ અને બેલિસ્ટિક મિસાઇલોનાં વિકાસ પર અનિશ્ચિત મુદત લગાવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.