બ્રાઝિલના ઉત્તરીય એમેઝોન રાજ્યમાં શનિવારે એક વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજ્યની રાજધાની મનૌસથી લગભગ 400 કિલોમીટર દૂર બાર્સેલોસમાં આ અકસ્માત થયો હતો. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે મૃતકોમાં અમેરિકન નાગરિકો પણ સામેલ છે.
એમેઝોન રાજ્યના ગવર્નર વિલ્સન લિમાએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, “બાર્સેલોનામાં શનિવારે વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા 12 મુસાફરો અને બે ક્રૂ સભ્યોના મૃત્યુથી ખૂબ જ દુઃખી છું.” અમારી ટીમો આવશ્યક સહાય પૂરી પાડવા માટે કામ કરી રહી છે. મારી સંવેદના અને પ્રાર્થના મૃતકોના પરિવાર અને સંબંધીઓ સાથે છે.
અગાઉ, મનૌસ એરોટેક્સી એરલાઈને વિમાન દુર્ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું હતું કે તે ઘટનાની તપાસ કરી રહી છે, પરંતુ મૃત્યુ વિશે કોઈ માહિતી શેર કરી નથી. એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે આ મુશ્કેલ સમયમાં અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની ગોપનીયતાના આદર પર આધાર રાખીએ છીએ અને જેમ જેમ તપાસ આગળ વધશે તેમ તમામ માહિતી પૂરી પાડવામાં આવશે.
ખરાબ હવામાનના કારણે પ્લેન થયું હતું ક્રેશ
સિવિલ ડિફેન્સને ટાંકીને મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટનામાં કોઈ બચ્યું નથી. રિપોર્ટ્સ અનુસાર, પ્લેન લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. આ વિમાને મનૌસથી ઉડાન ભરી હતી. આ અકસ્માત લગભગ બપોરે 3 વાગ્યે (સ્થાનિક સમય) થયો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્લેન ખરાબ હવામાનને કારણે ક્રેશ થયું છે, લેન્ડિંગ સમયે ભારે વરસાદ પડી રહ્યો હતો.
આ પણ વાંચો:પાસ્તા ખાધા પછી યુવકે ગુમાવ્યો જીવ, ભૂલથી પણ ના કરો આ ભૂલ
આ પણ વાંચો:મહિલા ટેનિસ સ્ટારનો ચોંકાવનારો ખુલાસો: ‘મારા પર 400 વખત દુષ્કર્મ થયું’
આ પણ વાંચો:કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી…!