રાજકોટ,
લોકસભાની ચૂંટણી લઇ અનેક લોકો રાજકારણમાં ઝંપલાવી રહ્યા છે. પાસ કન્વીનર હાર્દિક પટેલ ચૂંટણી લડશે તેવી વાત બહાર આવી છે. ત્યારે રાજકોટ પાટીદાર નેતા પરેશ ગજેરાએ ચૂંટણીને લઇ સ્પષ્ટ નિવેદન આપ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે, મારા હીત શત્રુ દ્વારા “હુ ચૂંટણી લડવાનો છુ” તેવુ રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યુ છે. પરંતુ “હું લોકસભા ચૂંટણી નથી લડવાનો”.
તેમણે વધુમાં જણાવ્યુ કે, હુ પાટીદાર સમાજની સેવા કરી રહ્યો છુ. તેમાં ખુશ છુ અને તે જ કાર્ય કરવા માંગુ છું. ભવિષ્યમાં પણ આવી અફવાઓ ફેલાશે અને પોસ્ટર લાગશે. પરંતુ “હુ ચૂંટણી લડવાનો નથી”. કોઇ સારા ઉમેદવારને ટેકો આપીશ.