Not Set/ દિલ્હી/ અનાજની મંડીમાં ભીષણ આગ, 32 લોકોનાં થયા મોત, 11 લોકો ઘાયલ

દેશની રાજધાનીમાં આજે સવારે ભારે આગ લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ રાની ઝાંસી રોડ પર આવેલી દિલ્હીની અનાજની મંડીમાં આ આગ લાગી છે. આ આગ આજે સવારે લાગી છે. ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડે 11 લોકોને આગમાંથી બહાર કાઠવામાં સફળતા મેળવી છે,જેમને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર […]

Top Stories India
Fire દિલ્હી/ અનાજની મંડીમાં ભીષણ આગ, 32 લોકોનાં થયા મોત, 11 લોકો ઘાયલ

દેશની રાજધાનીમાં આજે સવારે ભારે આગ લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ રાની ઝાંસી રોડ પર આવેલી દિલ્હીની અનાજની મંડીમાં આ આગ લાગી છે. આ આગ આજે સવારે લાગી છે. ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડે 11 લોકોને આગમાંથી બહાર કાઠવામાં સફળતા મેળવી છે,જેમને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર આ આગ લાગવાના કારણે અત્યાર સુધી 32 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ફાયર બ્રિગેડનાં 15 વાહનો સ્થળ પર હાજર છે અને બચાવ કાર્યમાં રોકાયેલા છે.

દિલ્હી પોલીસે ઘટનામાં 32 લોકોનાં મોત થયા હોવાનુ કહ્યુ છે. આ પહેેલા માહિતી મળી રહી હતી કે આ દુર્ઘટનામાં 11 લોકો ઘયાલ થયા છે. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુત્રોનાં જમાવ્યા મુજબ બચાવ ટીમે અત્યાર સુધીમાં આશરે 50 લોકોને બચાવી લીધા છે, જેમાંથી મોટાભાગનાં લોકોની હાલત ધૂમાડાનાં કારણે બગડી હતી.

જો કે હજી સુધી આગનાં કારણો જાણવા મળી શક્યા નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે અચાનક આગનાં કારણે ધુમાડો જોવા મળ્યો હતો, જેની જાણકારી પોલીસ અને ફાયર બ્રિગેડને આપવામાં આવી હતી. તાજેતરમાં ઘટનાસ્થળ પર રેસ્ક્યૂ ટીમ ઓપરેશન કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.