કેદારનાથ/ PM મોદીએ આદિ ગુરુ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કેદારનાથ ધામ પહોંચ્યા છે. અહીં પહોંચ્યા બાદ તેમણે વિકાસના કામોની સમીક્ષા કરી હતી.

Top Stories India
andir PM મોદીએ આદિ ગુરુ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કેદારનાથ ધામ પહોંચ્યા છે. અહીં પહોંચ્યા બાદ તેમણે વિકાસના કામોની સમીક્ષા કરી હતી. વડા પ્રધાને બાબા કેદારના ગર્ભગૃહમાં 18 મિનિટ સુધી પ્રાર્થના કરી હતી. તેમણે આદિ ગુરુ શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી અને 35 ટન વજનની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું. અનાવરણ બાદ પીએમે પ્રતિમા પાસે બેસીને પૂજા કરી હતી. આ પ્રતિમા મૈસુર સ્થિત એક શિલ્પકાર દ્વારા બનાવવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે આદિ ગુરુ શંકરાચાર્ય સમાધિની મૂળ પ્રતિમા 2013માં કુદરતી આફતમાં ધોવાઈ ગઈ હતી. તે કેદારનાથ મંદિરની પાછળ અને સમાધિ વિસ્તારની મધ્યમાં બનેલ છે. ટુંક સમયમાં પીએમ 400 કરોડ રૂપિયાથી વધુના પુનઃનિર્માણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.