Not Set/ PM મોદીનો G7 સંમેલનમાં ભાગ લેવા માટેનો બ્રિટન પ્રવાસ રદ

કોરોનાની પરિસ્થિતિના કારણે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનનો ભારત પ્રવાસ રદ્દ થયા બાદ વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આગામી મહિને જી-7 સંમેલનમાં ભાગ લેવા

Top Stories India
pm new PM મોદીનો G7 સંમેલનમાં ભાગ લેવા માટેનો બ્રિટન પ્રવાસ રદ

કોરોનાની પરિસ્થિતિના કારણે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનનો ભારત પ્રવાસ રદ્દ થયા બાદ વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આગામી મહિને જી-7 સંમેલનમાં ભાગ લેવા માટે બ્રિટન જવાનો પોતાનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. વિદેશ મંત્રાલયેવ એક નિવેદન જાહેર કરી મંગળવારે કહ્યું- ‘યૂકેના પ્રધાનમંત્રી બોરિસ જોનસન તરફથી જી-7 સંમેલનમાં હાજરી આપવા માટે પીએમ મોદીને આપેલા આમંત્રણની પ્રશંસા કરીએ છીએ. પરંતુ કોવિડ-19ની હાલની સ્થિતિને જોતા તે નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી જી-7 સંમેલનમાં વ્યક્તિગત રીતે હાજર રહેશે નહીં.’

કોર્નવોલમાં બોરિસ જોનસનની અધ્યક્ષતામાં આ વર્ષે આયોજીત થવા જઈ રહેલા જી-7 સંમેલનમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું. એવુ કહેવામાં આવી રહ્યું હતું કે ક્વાડ નેતાઓ જેમ કે- અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન, ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન, જાપાનના પ્રધાનમંત્રી યોશિહિદે સુગા અને પીએમ મોદી વચ્ચે જી-7 સંમેલનથી ઇતર કોર્નવોલમાં વ્યક્તિગત રીતે બેઠક યોજાશે.

આ પહેલા ચારેય નેતાઓ વચ્ચે 12 માર્ચે વર્ચ્યુઅલ બેઠક થઈ હતી, જે ક્વાડ દેશોના નેતાઓ વચ્ચે પ્રથમ બેઠક હતી. જી-7માં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને યૂનાઇટેડ સ્ટેટ્સ સામેલ છે.

kalmukho str 9 PM મોદીનો G7 સંમેલનમાં ભાગ લેવા માટેનો બ્રિટન પ્રવાસ રદ