રિઝર્વ બેંક આજે 90 વર્ષ પૂર્ણ કરી રહી છે. RBIના 90 વર્ષ પૂરા થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 90 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો. દેશમાં પહેલીવાર 90 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. આ સિક્કો શુદ્ધ ચાંદીનો છે. આ સિવાય 40 ગ્રામ ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 90 રૂપિયાના ચાંદીના સિક્કાની એક તરફ બેંકનો લોગો અને બીજી બાજુ 90 રૂપિયાનો લોગો છે.
આ સિક્કાની જમણી બાજુ હિન્દીમાં ભારત અને ડાબી બાજુ અંગ્રેજીમાં ભારત લખેલું છે. તેની એક તરફ RBI (90th anniversary of Reserve Bank of India) નો લોગો હશે અને ઉપલા પરિમિતિ પર હિન્દીમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો લોગો અને નીચલા પરિમિતિ પર અંગ્રેજીમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો લોગો હશે. લોગોની નીચે RBI 90 લખેલું હશે.
ભારત સરકારની ટંકશાળમાં બનાવવામાં આવેલ આ રૂ. 90નો સિક્કો 40 ગ્રામ વજનનો હશે અને તે 99.9 ટકા શુદ્ધ ચાંદીથી બનેલો છે. 1985માં આરબીઆઈની સુવર્ણ જયંતિ અને 2010માં આરબીઆઈની પ્લેટિનમ જ્યુબિલી પર સ્મારક સિક્કા જારી કરવામાં આવ્યા છે.
લોન્ચ થયા બાદ 90 રૂપિયાનો સિક્કો તેની ફેસ વેલ્યુ કરતા વધુ કિંમતે વેચવામાં આવશે. રિપોર્ટ્સ અનુસાર, આ સિક્કાની અંદાજિત કિંમત 5200 થી 5500 રૂપિયા હોઈ શકે છે. દેશભરના બેંક કર્મચારીઓ અને સિક્કા સંગ્રાહકોમાં આ સિક્કાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 19 માર્ચ 2024 ના રોજ, આર્થિક બાબતોના વિભાગ, નાણા મંત્રાલય, ભારત સરકાર દ્વારા પણ આ સિક્કાના પ્રકાશન માટે એક ગેઝેટ સૂચના જારી કરવામાં આવી હતી.
આજે કાર્યક્રમમાં બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દેશની બેંકિંગ સિસ્ટમને મજબૂત રાખવામાં RBIની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટી છે. આરબીઆઈ જે પણ કરે છે તેની સીધી અસર દેશના સામાન્ય લોકોની અર્થવ્યવસ્થા પર પડે છે. આરબીઆઈએ છેલ્લા માઈલ પર લોકોને નાણાકીય સમાવેશના લાભો પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
આ પણ વાંચો:ભારતના અરુણાચલ પ્રદેશ મામલે ચીનની હેરાનગતિ વધી, વિવિધ સ્થળોના 30 નામોની બહાર પાડી યાદી
આ પણ વાંચો:કેજરીવાલને જયુડિશીયલ કસ્ટડીમાં 15 એપ્રિલ સુધી જેલમાં ખાશે રોટલી…
આ પણ વાંચો:બંગાળના જલપાઈગુડીમાં વાવાઝોડાના કારણે મૃત્યુઆંક 5, 100થી વધુ ઘાયલ
આ પણ વાંચો:એપ્રિલ ! ખુશ ખબર, ગેસ સિલિન્ડરની કિમંતોમાં સતત વધારા બાદ કરાયો ભાવમાં ઘટાડો