- મોરબી હોનારત કેસમાં મોટી ખબર
- દુર્ઘટના કેસમાં વધુ આરોપીઓનો થઇ શકે છે ઉમેરો
- જયસુખ પટેલના નામનો થઇ શકે છે ઉમેરો
- રિમાન્ડની દલીલમાં ઓરેવાના મેનેજરનું નિવેદન
- જયસુખભાઈના કહેવાથી કોન્ટ્રાક્ટર પ્રકાશને કામ સોંપાયું
- દુર્ઘટનાના દિવસે 2000થી 2500 ટિકિટ વેચાઈ
મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનામાં પોલીસે નવ આરોપીઓની ધરપકડ કરી છે. મોરબીનો ઝૂલતો પુલ કાળ બનીને 136 લોકોને ભરખી ગયો છે. ત્યારે આ ઘટના મામલે પોલીસ ફરિયાદ થઈ હતી અને હાલ તપાસ ચાલુ છે. આ ઉપરાંત સરકારે પણ સ્પેશિયલ ટીમ બનાવી આ ઘટનાની તપાસ હાથ ધરી છે. આજે આ તમામ નવ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં કોર્ટે પાંચ આરોપીઓને જેલ હવાલે કર્યા છે. ત્યાં જ ચાર આરોપીઓને શનિવાર સુધી રિમાન્ડ પર મોકલાયા છે.આ કેસમાં વધુ આરોપીઓનો ઉમેરો થઇ શકે છે. આ કેસમાં જયસુખ પટેલનો આરોપી તરીકે નામ ઉમેરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે જયસુખ પટેલેવના કહેવાથી કોન્ટ્રાકટર પર્કાશને આ કામ સોંપવામાં આવ્યું હતું તેવું રિમાન્ડમાં આેરેવાના મેનેજરે કહ્યંું છે. આ દુર્ઘટનાના દિવસે ટિકિટ બે હજારથી વધુ ટિકિટ વેચાઇ હતી.