લઠ્ઠાકાંડ/ પોટલીએ લીધા 39 લોકોના જીવ,પરિવારમાં હૈયાફાટ રૂદન,મૃત્યુઆંક વધી શકે છે

ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છંતા પણ રાજ્યમાં દારૂની રેલમછેલ જોવા મળે છે, પોલીસતંત્રની રહેમનજરે ખુલ્લેઆમ દારૂ વેચાય છે,રાજ્યમાં ફરી એકવાર લઠ્ઠાકાંડ સર્જાયો

Top Stories Gujarat
8 23 પોટલીએ લીધા 39 લોકોના જીવ,પરિવારમાં હૈયાફાટ રૂદન,મૃત્યુઆંક વધી શકે છે

ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છંતા પણ રાજ્યમાં દારૂની રેલમછેલ જોવા મળે છે, પોલીસતંત્રની રહેમનજરે ખુલ્લેઆમ દારૂ વેચાય છે,રાજ્યમાં ફરી એકવાર લઠ્ઠાકાંડ સર્જાયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધી 39 લોકોનાં મોત થયા છે ,હજીપણ ઘણાબધા ગંભીર  છે. ઘટનાની જાણ થતાં પોલીસ એક્શનમાં આવી છે. કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરાયા છે.આ ઉપરાત અસારવા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.  આ ચકચારી બનાવને પગલે દારૂ બનાવનાર અને દારૂ વેચનારની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી.

જો કે આ સમગ્ર ઘટનાને પગલે ડીવાયએસપીની અધ્યક્ષતામાં સીટની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે.39 લોકોના મોત થયા છે. મરનારાઓ અલગ અલગ ગામના છે.ઝેરી દારૂ પી જવાથી બરવાળાના જુદા જુદા ગામના 39 લોકોનાં મોત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ એક્શનમાં આવી છે.ગઇકાલે  35 લોકોના મોત થયા હતા,પણ મોડી સાંજે સારવાર લઇ રહેલા અન્ય 4 લોકોના પણ મોત થઇ ગયા છે. આ ચકચાર ઘટનામાં રાજુ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે,આ રાજુ નામના શખ્સે બરવાળાના સંજ્યેને કેમિકલ વેચ્યું હતું. ,હાલમાં અનેક લોકો સારવાર હેઠળ છે.

ઝેરી દારૂ પીવાથી 39 લોકોના મોતનો કેસમાં એટીએસના DIG દિપેન ભદ્રન અને એસપી સુનિલ જોશી રોજિદ ગામ પહોંચ્યા હતા. બોટાદ જિલ્લાના રોજીદ ગામે લઠ્ઠાકાંડની ઘટના ઘટી છે. સંભવિત લઠ્ઠાકાંડની ઘટનામાં 39 લોકોના મોત થયા છે. આ ઘટનામાં તપાસ માટે SITની રચના કરવામાં આવી છે