વીમા કૌભાંડ/ જીવતે જીવ મરણના વીમા પાસ થયા, પ્રધાનમંત્રી સુરક્ષા જીવન વીમા યોજનામાં ઠગાઈ

કાંકરેજ ના કસરાગ્રામ પંચાયત કચેરીના મરણ ના દાખલા આધારે ગામે બે વ્યક્તિ જીવિત હોવા છતાં ઠગાઇ થયા ની રાડ

Gujarat Others
પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી સુરક્ષા જીવન વીમા યોજના લાભાર્થીઓ સાથે ઠગાઈનો મામલો સામે આવ્યો છે. ગ્રામ પંચાયત કચેરીના મરણના દાખલા આધારે એજન્ટો દ્વારા કૌભાંડ કરવામાં આવ્યો હતો.મરણના દાખલા આધારે બે  જીવિત વ્યક્તિનો વિમો પાસ કરવી દીધો હતો..અને બેન્કમાં પોતાનો નંબર આપીને.વિમાના  રુપિયાની છેતરપિંડી કરતા હતા.નકાલી બનાવે મરણના દાખલાની ના તો સરપંચને ખબર હતી. ના તો તલાટી ક્રમ મંત્રીને સરકારી તંત્રના અધિકારીઓની  આવી બેદરકારીના કારણે આવા કૌભાંડ વધી રહ્યા છે.આ બાબતે ફરિયાદ નોધતાં શિહોરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જીવલેણ બીમારી હોય તેવા લોકો ના ખાતા ખોલાવી દસ્તાવેજ ATM એજન્ટ પોતાની રાખે છે ઇન્ડિયા ફસ્ટ વીમા યોજના દ્વારા  કાંકરેજ તાલુકાના કસરા ગામે ગ્રામ પંચાયત કચેરી ના મરણ ના દાખલા આધારે એજન્ટો દ્વારા કૌભાંડ થયા ની રાડ જોવા મળી રહી છે. ગામના ઠાકોર રમેશ જી રૂપિશીજી તેમજ ઠાકોર પ્રબતજી હજુરજી બને વ્યક્તિ જીવિત હોવા છતાં બેંકો માં એમના નામ ના વીમા પાસ કરાવી એજન્ટ ઠાકોર જયંતિજી બાબુજી અને કમસીભાઈ દેસાઈ દ્વારા બેંકો માં OTP માટે પોતાના મોબાઈલ આપી છેતરપિંડી કરતાં ગામના લોકો માં અનેક કુતુહલ સરજાયું હતું.

વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લા તપાસ કરવામાં આવે તો આવા અનેક એજન્ટ દ્વારા બેંકો માં કૌભાંડમાં થયા ની રાડ અરજદારો દ્વારા કરવામાં આવી હતી કસરા ગામના મરણ ના દાખલા હોવા છતાં સરપંચ તેમજ તલાટી ક્રમ મંત્રી પણ આ વાત થી વાકેફ છે. પોતાના પંચાયત ના માં અરજદાર જીવિત હોવા છતાં મરણ ના દાખલા આધારે બેંકો પેમેન્ટ ચુકવણું કરતી હોય છે. તો આખરે જવાબદાર કોણ? બનાસકાંઠા જિલ્લા માં વધુ મા વધુ કાયદેસર ની તપાસ કરવામાં આવે તો અનેક જગ્યાએ થતા કૌભાંડ થતાં અટકાવી શકાય. આવા તત્વો સામે કાયદેસર ની કાર્યવાહી કરવા માટે લાગણી સાથે માગણી છે.

બનાસકાંઠા જિલ્લા મા ભારત સરકાર ના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના નો લાભ મળી શકે તેવા આસય થી વીમા યોજના બનાવેલ છે. જેમા નજીવા પ્રીમિયમ થી ખાતું ખોલી વારસદાર ને બે લાખ અપાય છે પરંતુ બનાસકાંઠા જિલ્લા મા એજન્ટો દ્વારા અશિક્ષિત લોકો સાથે છેતરપિંડી થતાં હડકપ મચી જવા પામ્યો છે.આ વીમા ની રકમ એજન્ટો દ્વારા ચાઉં કરી જવાની રાડ જોવા મળી રહી છે. કાંકરેજ તાલુકાના કસરા ગામે આવીજ ઘટના બનતા ચકચાર જવા પામી હતી ત્યારે આ બાબતે ફરિયાદ નોધતાં શિહોરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: ‘હું હનુમાન ભક્ત છું, મારો જન્મ કંસના વંશજોને મારવા માટે થયો છે…’ ગુજરાતમાં કેજરીવાલનો હુંકાર

આ પણ વાંચો:ગુજરાતમાં આજે મોદી vs કેજરીવાલ, ફરી ખીલશે કમાલ કે AAP કરશે પંજાબવાળું કમાલ

આ પણ વાંચો:પાકીસ્તાની નેવી વિરુધ પોરબંદર નવીબંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ, જાણો કેમ ?