ભારત સરકારની ભલામણ પર માનનીય રાષ્ટ્રપતિશ્રીએ જમ્મુ-કાશ્મીરના ગુર્જર મુસ્લિમ ગુલામ અલીને રાજ્યસભા માટે નામાંકિત કર્યા છે. કલમ 370 નાબૂદ કર્યાં પહેલા ગુર્જર મુસ્લિમ સમુદાયને તેમના જ અધિકારોથી વંચિત રાખવામાં આવ્યો હતો. પણ, માનનીય પ્રધાનમંત્રીએ તેમના અધિકારોનું સન્માન કર્યું.
President Droupadi Murmu appoints Gulam Ali from Jammu & Kashmir to Rajya Sabha: Ministry of Home Affairs in a notification pic.twitter.com/nCdzk4SQmj
— ANI (@ANI) September 10, 2022
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્ર સરકારની ભલામણ પર જમ્મુ અને કાશ્મીરના ગુર્જર મુસ્લિમ ગુલામ અલી ખટાનાને રાજ્યસભા માટે નામાંકિત કર્યા છે. ગૃહ મંત્રાલયે એક જાહેરનામું બહાર પાડીને જણાવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નિમણૂકને મંજૂરી આપી દીધી છે. સંભવતઃ આ પ્રથમ વખત છે કે જ્યારે કોઈ ગુર્જર મુસ્લિમને નોમિનેટેડ સભ્ય તરીકે ઉપલા ગૃહમાં મોકલવામાં આવ્યો હોય. મોદી સરકારે ઓગસ્ટ 2019 માં કલમ 370 નાબૂદ કરી અને અગાઉના રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યું – જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ. રાજ્યસભામાં 250 સભ્યો હોય છે અને 238 રાજ્યમાંથી ચૂંટાય છે અને 12 રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત કરવામાં આવે છે.
ભાજપના વરિષ્ઠ નેતા અને ભાજપના J&K પ્રભારી તરુણ ચુગે ગુલામ અલીને તેમના નામાંકન બદલ અભિનંદન પાઠવ્યા હતા. જમ્મુ-કાશ્મીરના લોકો ખાસ કરીને ગુજર સમુદાય માટે આ ખૂબ જ સારી ક્ષણ છે. મને ખાતરી છે કે તે ત્યાંના લોકોની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરશે.