કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભાજપ પર એક ગંભીર મુક્યો છે. તેણે કહ્યુ કે, અમેઠીમાં ગ્રામ પ્રધાનને 20 હજાર રૂપિયાની લાંચ આપવામાં આવી રહી છે. પ્રિયંકા ગાંધીએ શનિવારે ભાજપ પર લાંચનો આરોપ મુકવાની સાથે કહ્યુ કે, ભાજપને ખોટો વહેમ છે કે વર્ષોથી ચાલી રહેલો પ્રેમ અને સાચી રાજનીતિને કોઇ આ રીતે ખરીદી શકે છે.
પ્રિયંકાએ ભાજપ પર સીધો આરપો મુકતા તેને લાંચ આપી ભોળી જનતા પાસેથી વોટ માંગવાનું ષડયંત્ર બતાવ્યુ હતુ. પ્રિયંકાએ કહ્યુ કે, અહી અમેઠીમાં ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અહી ખુલેઆમ પૈસાની લાંચ આપવામા આવી રહી છે. જ્યા કોંગ્રેસ જનતા વચ્ચે પોતાનુ ઘોષણાપત્ર વહેચી રહી છે તો બીજી તરફ ભાજપા પત્ર નહી પણ ગ્રામ પ્રધાનોને 20-20 હજાર રૂપિયા આપી રહી છે. પ્રિયંકાએ અમેઠીથી ભાજપની ઉમેદવાર સ્મૃતિ ઇરાની પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેણે કહ્યુ કે, રાહુલ ગાંધીને લાપતા બતાવનાર સ્મૃતિ અમેઠી આવીને નાટક કરી રહી છે.
દેશને કેવી સરકાર જોઇએ
પ્રિયંકા ગાંધીએ દેશમાં બની રહેલા માહોલને લઇને સ્થાનિક જનતાને સંબોધતા કહ્યુ કે, હવે દેશમાં લોકતંત્રને જીવંત રાખી શકે તેવી અને સામાન્ય જનતા માટે કામ કરી શકે તેવી સરકારની જરૂર છે. ભાજપની નિયત ખરાબ છે અને તેમની નિયત અમુક ઉદ્યોગપતિઓને ફાયદો કરવા સુધી સીમિત છે. ખેડૂતોનાં દેવા માંફી નથી કરતા પરંતુ ઉદ્યોગપતિઓનાં પાંચ લાખ કરોડથી પણ વધુનું દેવુ માંફી કરી દીધુ. આ છે ભાજપની સરકાર. તમારે કઇ સરકાર જોઇએ તે તમારે નક્કી કરવાનું છે.