ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ તરીકે પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડની નિમણૂક કરવામાં આવી છે. તે ન્યૂઝીલેન્ડ સામે 17 નવેમ્બરથી શરૂ થનારી ટી-20 શ્રેણીથી પોતાની જવાબદારી સંભાળશે. ભારતીય ક્રિકેટ બોર્ડે આ જાણકારી આપી છે,ઉલ્લેખનીય છે કે વર્તમાન મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પહેલા જ જાહેરાત કરી દીધી છે કે તેઓ 2021 T20 વર્લ્ડ કપ પછી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપશે.
🚨 NEWS 🚨: Mr Rahul Dravid appointed as Head Coach – Team India (Senior Men)
More Details 🔽
— BCCI (@BCCI) November 3, 2021
ભારતના મહાન ખેલાડીઓમાંના એક 48 વર્ષીય દ્રવિડ છેલ્લા છ વર્ષથી ભારત A અને U-19 સિસ્ટમનો હવાલો સંભાળી રહ્યા છે. તેમની દેખરેખ હેઠળ ઋષભ પંત, અવેશ ખાન, પૃથ્વી શો, હનુમા વિહારી અને શુભમન ગિલ જેવા ખેલાડીઓ જુનિયર સ્તરથી રાષ્ટ્રીય ટીમ સુધીની સફર કરી ચૂક્યા છે. હાલમાં તે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA), બેંગ્લોરના વડા છે.