પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આજે પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમને મળ્યા. તે તિહાર જેલમાં ચિદમ્બરમને મળ્યા હતા. ચિદમ્બરમ આઈએનએક્સ મીડિયા કેસમાં તિહાર જેલમાં બંધ છે. આ અગાઉ કોંગ્રેસનાં વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ તિહાર જેલમાં જઇને ચિદમ્બરમની ખબર પુછી હતી.
આપને જણાવી દઇએ કે પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમની 21 ઓગસ્ટનાં રોજ કોંગ્રેસ કાર્યાલયમાંથી પ્રેસને સંબોધન કર્યા બાદ નાટકીય અંદાજમાં તેમના ઘરે પહોંચ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. જ્યાં સીબીઆઈની ટીમે દિવાલ પાર કરી તેમની ધરપકડ કરી હતી. જો કે, જેલમાં તેમને મળવા માટે કોંગ્રેસનાં નેતાઓનો ધસારો રહ્યો હતો. અહમદ પટેલ, ગુલામ નબી આઝાદ પણ તિહાર જેલ પહોંચ્યા પછી તેમને મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ચિદમ્બરમે આરોપ મૂક્યો છે કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (એફઆઇપીબી) તરફથી આઈએનએક્સ મીડિયાને મંજૂરી આપવા માટે તેમણે પોતાના હોદ્દાનો દુરૂપયોગ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.