કલ્પના કરો કે તમે એવરેસ્ટને સર કરવા જઇ રહ્યા છો. તમે તમારા ચાધાનના અંતિમ તબક્કામાં છો, તમે શિખરને સ્પર્શ કરવા માટે ઉત્સુક છો, પછી તમારી નજર એક એવી જગ્યા પર પડે છે જે જોઇને તમારું હર્દય કંપી ઉઠે છે. તમારી નજર સામે અઢળક મૃત દેહ ફ્રોજન અવસ્થામાં પડ્યા છે. તો સમજો તમે રેઈનબો વેલી પહોચી ચુક્યા છે.
એવરેસ્ટને સર કરવાનું દરેક પર્વતારોહક નું સ્વપ્ન હોય છે. પરંતુ તેને સર કરવું એટલું સરળ નથી હોતું.
અગાઉ, જ્યારે ટેક્નોલોજી આટલી અદ્યતન નહોતી, ત્યારે એવરેસ્ટને સર કરવાના ચાર પ્રાયો માંથી એક પર્વતારોહકનું મોત થતું હતું. અને આજે, જ્યારે આ ટેકનોલોજીનો વિકાસ થયો છે, ત્યારે પ્રત્યેક હજારમાંથી 20 પર્વતારોહક ના એવરેસ્ટ સર કરતા મોત થાય છે.
તેમાંના મોટાભાગના લોકો એવી જગ્યાએ મૃત્યુ પામે છે જ્યાં તેમના મૃતદેહોને નીચે લાવવું લગભગ અશક્ય છે. આ સ્થાનને રેઈન્બો વેલી કહેવામાં આવે છે.
રેઈન્બો વેલી માઉન્ટ એવરેસ્ટ પર તેના શિખરની નીચે જ આવેલું છે. આ નામ જેટલું સારું લાગે છે તેટલું આ સ્થાન ભયાનક છે.
માઉન્ટ એવરેસ્ટનો આ ભાગ પર્વતારોહકો માટે મોતની ખીણ સમાન છે. મૃત્યુની ખીણ છે. તેના પર અત્યાર સુધીમાં સેંકડો પર્વતારોહકો મૃત્યુ પામ્યા છે. તેમાંના મોટાભાગના લોકોના મૃતદેહ હજી ત્યાં જ પડેલા છે. કારણ કે અહીંથી મૃતદેહ ઉતારવું લગભગ અશક્ય છે. ચોપર્સ તેની ઉંચાઈના અડધા ભાગમાં જ પહોંચી શકે છે.
ભારે ઠંડી અને બરફના કારણે અહીં પડેલા મૃતદેહો મોટા પ્રમાણમાં સુરક્ષિત રહે છે. આથી આ સ્થાનને ખુલ્લું કબ્રસ્તાન કહેવામાં આવે છે. પર્વતારોહીઓના મૃતદેહ જ્યાં ત્યાં પથરાયેલા જોવા મળે છે. જેમાં તંબૂ, જેકેટ્સ, ઓક્સિજન સિલિન્ડર વગેરેનો સમાવેશ થાય છે.
અત્યાર સુધીની ઓળખાયેલ સૌથી જૂનું શરીર જ્યોર્જ મલ્લોરીનું છે જે 1924 માં તોફાનમાં ફસાયું હતું.
dharma / જટોલી શિવ મંદિર – પથ્થર ઉપર થાપટ મારતા સંભળાય છે ડમરું જેવો …
નારીશક્તિ / પૌત્ર રમાડવાની ઢળતી ઉંમરે અગરબત્તી વેચી ગુજરાન ચલાવે છે સ્વા…
#Ajab_Gajab / ખાસી ટ્રાઈબ્સની અનોખી પરમ્પરા, મહિલાઓ ઘણા પુરુષો સાથે લગ્ન ક…
#Ajab_Gajab / રહસ્યમય જટિંગા ખીણ – જ્યાં પક્ષીઓ સામુહિક આત્મહત્યા કર.
#Ajab_Gajab / આ ભારતના મુખ્ય 5 ‘ચોર બજાર’, જ્યાં મોબાઇલથી લઈને…
haunted / ભારતના આ 10 રાજમાર્ગો છે મોસ્ટ હોન્ટેડ એટલે કે ભૂતિયા
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…