રાજકોટ,
રાજકોટમાં ટ્રાફિકજામની સમસ્યાના પગલે 2 મહિના પહેલા ઓવરબ્રિજ બનાવવાની મંજુરી આપવામાં આવી હતી. જેના પગલે ગોંડલ ચોકડી પર ઓવરબ્રિજનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતુ.
કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા પણ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે, આ ફ્લાય ઓવરબ્રિજના પ્રોજેક્ટને 18 મહિનામા પુરો કરી દેવામાં આવશે.
90 કરોડના ખર્ચે બનાવામાં આવનાર આ ઓવરબ્રિજથી ટ્રાફિક સમસ્યાનો હલ થશે. તેમજ કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યુ હતુ કે ગુજરાતમાં સૌપ્રથમ આ એક પીલર પર સિક્સ લેન એલીવેટર બ્રિજનુ શિલાન્યાસ કરવામાં આવ્યો છે.