રાજકોટમાં કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નવા ટ્રાફિક નિયમનનાં મામલે જનાતા દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાજકોટનાં વોર્ડ 13નાં સ્વામીનારાયણ ચોકમાં હેલ્મેટ વિરોધ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. હેલમેટના વિરોધમાં સહી ઝુંબેશ દ્વારા સામાન્ય જનાતાએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં રાજકોટ મહાનગર પાલીકાનાં કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર, રવજીભાઈ ખીમસૂરિયા સહિતનાં આગેવાની પણ જનતા સાથે જોડાયા હતા અને લોકોએ ફક્ત એક કલાકમાં 2100 ફોર્મમાં ભરી સહીઓ કરી ટ્રાફિક અને ખાસ કરીને હેલમેટનાં વિરોધમાં દેખાવ કર્યા હતા. વિરોધ કાર્યક્રમમાં લોકો દ્વારા જાતે જ ફોર્મ માંગી ભરી અને સહી કરવામાં આવ રહી હોવાનાં દ્રશ્યો જોવા માળ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.