Not Set/ અમદાવાદ: શાહીબાગ રેલ્વે ટ્રેક નજીક આવેલ નીલમ ફ્લેટની છત અચાનક ધરાશાયી

અમદાવાદનાં શાહીબાગ વિસ્તારમાં આવેલ નીલમ ફ્લેટની છત અચાનક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ ફ્લેટ શાહીબાગ રેલ્વે ટ્રેક નજીક આવેલો છે. મળી રહેલી માહિતી અનુસાર ફ્લેટનાં ત્રીજા માળનો સ્લેબ અચાનક જ ઘરાશાયી થયો હતો. જો કે રાહતની વાત એ રહી કે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. અમદાવાદનાં શાહીબાગ રેલ્વે ટ્રેક નજીકમાં આવેલી આ […]

Top Stories Ahmedabad Gujarat
shahibag અમદાવાદ: શાહીબાગ રેલ્વે ટ્રેક નજીક આવેલ નીલમ ફ્લેટની છત અચાનક ધરાશાયી

અમદાવાદનાં શાહીબાગ વિસ્તારમાં આવેલ નીલમ ફ્લેટની છત અચાનક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ ફ્લેટ શાહીબાગ રેલ્વે ટ્રેક નજીક આવેલો છે. મળી રહેલી માહિતી અનુસાર ફ્લેટનાં ત્રીજા માળનો સ્લેબ અચાનક જ ઘરાશાયી થયો હતો. જો કે રાહતની વાત એ રહી કે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.

nilam flat અમદાવાદ: શાહીબાગ રેલ્વે ટ્રેક નજીક આવેલ નીલમ ફ્લેટની છત અચાનક ધરાશાયી

અમદાવાદનાં શાહીબાગ રેલ્વે ટ્રેક નજીકમાં આવેલી આ બિલ્ડિંગનું બાંધકામ અંદાજે 40 વર્ષ જુનુ હોવાનું સામે આવી રહ્યુ છે. જ્યા આવેલા ત્રીજા માળનાં એક ફ્લેટમાં છત અચાનક જ ધરાશાયી થઇ ગઇ હતી. આ ફ્લેટમાં રહેનાર પર આ છતનો ભાગ પડ્યો હતો પરંતુ તેમનો આબાદ બચાવ થઇ ગયો હતો. ફ્લેટનાં રહીશોની માંગ છે કે આ ફ્લેટ ઘણા વર્ષો જુના છે, તેથી તેનુ જલ્દીથી રિનોવેશન કરાવવામાં આવે, કારણ કે બાજુમાં જ રેલ્વેનાં ટ્રેક આવેલા છે. સાથે તેમનુ કહેવુ છે કે આવનારા સમયમાં આ વિસ્તારથી બુલેટ ટ્રેન પણ નીકળવાની વાત હોવાથી આ ફ્લેટને તાત્કાલિક ધોરણે રિનોવેટ કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.