રાજકોટ,
25 જુન 2018.
રાજકોટથી આરોગ્ય વિભાગે દરોડા પાડી એક ગંભીર બાબત લોકો સામે લાવ્યા છે. રાજકોટના નાસ્તાની રેંકડીઓ પર આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયુ હતુ. જેમાં રાજકોટના અમુક ખાણી-પીણીવાળા વિસ્તારમાં જેમ કે શાસ્ત્રી મેદાન પાસે, કુંડલિયા અને માલવિયા કોલેજ પાસે ચેકિંગ કરવામાં આવી હતી.
તેમજ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સારી નાં હોવાના કારણે વડાપાઉં, દાળવડા, સમોસા અને મન્ચુરિયન જેવા ખાદ્ય સામગ્રીનો આરોગ્ય વિભાગ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા લગભગ 185 કિલો જેટલા અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો.