India/ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે કોરોના પોઝીટીવ, ગઈકાલે જ પાયલ ઘોષને RPIનું સભ્યપદ આપ્યું હતું…

રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આરપીઆઈ) ના પ્રમુખ અને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Top Stories India
dakor 3 કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે કોરોના પોઝીટીવ, ગઈકાલે જ પાયલ ઘોષને RPIનું સભ્યપદ આપ્યું હતું...

રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આરપીઆઈ) ના પ્રમુખ અને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રામદાસ આઠવલે ગઈકાલે પાયલ ઘોષને આરપીઆઈનું સભ્યપદ આપ્યું હતું. આ પછી, તેમને કફ અને શરીરની પીડાની ફરિયાદ કરી હતી. અને આ પછી, તેમનો કોરોના પરીક્ષણ કરવામાં આવ્યુ હતું.

pakistan / પેશાવરમાં મદરેસા નજીક બીજો પ્રચંડ વિસ્ફોટ, 7 ના મોત, 70 ઘાયલ…

હવે જોવાનું એ છે કે પાયલ ઘોષ પણ ક્વોરેન્ટાઇન થાય છે કે નહીં. નોંધનીય છે કે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ પર જાતીય શોષણનો આરોપ લગાવનારી અભિનેત્રી પાયલ ઘોષે સોમવારે આરપીઆઈનું સભ્યપદ લીધું હતું. પાર્ટીએ પાયલને મહિલા વિંગની વાઇસ પ્રેસિડેન્ટ જાહેર કરી હતી. પાર્ટી અધ્યક્ષ રામદાસ આઠવલે અને પાર્ટીના અન્ય સભ્યો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.

gujarat / જાણો સી-પ્લેનની શું છે વિશેષતાઓ ! શું છે ઈતિહાસ !…

આ દરમિયાન રામદાસ આઠવલેએ કહ્યું હતું કે ‘મેં પાયલને કહ્યું હતું કે આરપીઆઈ બાબા સાહેબ આંબેડકરની પાર્ટી છે. તે સમાજના દરેક વર્ગને મદદ કરે છે, પછી તે દલિત, આદિવાસી, ઓબીસી, ગામલોકો અથવા ઝૂંપડપટ્ટીના કે પછી કોઈ પણ લોકો હોય. જો તમે પાર્ટીમાં જોડાઓ છો, તો આરપીઆઈ પક્ષને મજબૂત ચહેરો મળશે.

Dakor / મંદિરના પૂજારી પરિવારનો પુત્ર દારૂ સાથે ઝડપાયો…

અગાઉ પાયલ ઘોષ રામદાસ આઠવલે સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યરીને મળવા પણ ગયા હતા. તે સમયે પણ કેન્દ્રીય મંત્રીએ પાયલને ન્યાય આપવાની ખાતરી આપી હતી. રામદાસ આઠવલેએ કહ્યું હતું કે ન્યાયની લડતમાં આરપીઆઈ હંમેશાં ટેકો આપશે! અમે તમારી સાથે ઉભા છીએ.

sharad purnima: શરદ પૂર્ણિમા ક્યારે છે, આ દિવસનું ધાર્મિક અને ઔષધીય મહત્વ જા…