રાજ્ય અને દેશભરમાં હનુમાન જયંતિની ઉજવણી થઇ રહી છે.ત્યારે અમદાવાદના કેમ્પ હનુમાન, કષ્ટભંજન દેવ સાળંગપુર અને અરવલ્લીમાં આરામની મુદ્રામાં હનુમાનજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવી પહોંચ્યા હતા.વહેલી સવારથી જ લોકોએ આરતીનો લ્હાવો લઇને દર્શન કર્યા હતા.સાળંગપુર મંદિરમાં તો દર્શન કરવા માટે રીતસરની દોડધામ મચી ગઇ હતી.તો કેમ્પ હનુમાન ખાતે પણ ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો..જો કે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.